ખેડૂતો માટે ખૂબ જ અગત્યની ઋતુ એટલે ચોમાસાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.
ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી
3 જૂને કેરળમાં ચોમાસું બેસે તેવી સંભાવના
આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે
મહામારી વચ્ચે ચોમાસાને લઇને રાહતના સમાચાર
ચોમાસાની રાહ જોનારા લોકો માટે રાહતના સમાચાર છે. આ વખતે ચોમાસુ સારૂ રહેવાનું અનુમાન છે. આ અનુમાન હવામાનની અગાહી કરતી વેધર એજન્સી સ્કાયમેટે કરી છે. જો કે આ વખતે ચોમાસુ 1 જૂનને બદલે બે દિવસ મોડુ એટલે કે 3 જૂને શરૂ થવાનું છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ 1 જૂને શરૂ થતું હોય છે. 1 જૂન બાદ કેરળમાં શરૂ થતાં વરસાદને વિધિવત ચોમાસાનો પ્રારંભ મનાય છે. પહેલા તૌકતે અને ત્યાર બાદ યાસને કારણે આ વખતે વિધિવત ચોમાસાના પ્રારંભમાં 2 દિવસ વધુ સમય લાગે તેમ છે. વેધર એજન્સી સ્કાયમેટ પ્રમાણે દેશમાં સતત ત્રીજા વરસે સામાન્યથી વધુ વરસાદ વરસે તેવી શકયતા છે.
આ વર્ષે ચોમાસુ સામાન્યથી વધુ સારૂ રહે તેવી શકયતા
ખેડૂતો માટે ખૂબ જ અગત્યની ઋતુ એટલે ચોમાસાને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ મહામારીના કારણે ખેડૂતોનું ખૂબ નુકસાન થયું છે, તે બાદ વાવાઝોડું પણ ત્રાટક્યું જેમાં કેટલાય ખેડૂતો પાયમાલ બની ગયા. જોકે આ વર્ષે હવે ચોમાસું સારું જાય તેવી આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર દેશમાં 101 ટકા જ્યારે ગુજરાતમાં 106% વરસાદ રહેશે.
ચોમાસાને લઇ હવામાન વિભાગની આગાહી
હવામાન ખાતાના ડાયરેક્ટર મહાપાત્રએ કહ્યું કે અમને સારા ચોમાસાની આશા જેનાથી કૃષિ ક્ષેત્રને મદદ મળશે. દેશમાં સરેરાશ 101 ટકા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.મહાપાત્રએ કહ્યું કે 40% સંભાવના સામન્ય વરસાદની છે, 22 ટકા સંભાવના સામાન્ય કરતાં અધિક તથા 12 ટકા સંભાવના છે કે અત્યાધિક વરસાદ થશે. આ સાથે 18% સંભાવના છે કે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે.