વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને યોગ્ય દિશામાં ન લગાવ્યો તો ઘનનો વધારો થવાની જગ્યા પર પૈસાની તંગી થઈ શકે છે.
ઘરમાં આ રીતે લગાવો મની પ્લાન્ટ
યોગ્ય દિશાનું છે મહત્વ
જાણો શું થાય છે અસર
જો તમે પણ પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે તો આ ખબર જરૂર વાંચી લો. સામાન્ય રીતે લોકો એવું માને છે કે પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી ધનમાં વધારો થાય છે. વાસ્તુ અનુસાર તેને યોગ્ય પણ માનવામાં આવે છે. પરંતુ તમારે એ જાણવું જરૂરી છે કે તમારે પોતાના ઘરમાં કઈ દિશામાં મની પ્લાન્ટ લગાવવું જોઈએ. નહીં તો ખાસ છોડ પોતાના ગુણના વિપરીત અસર કરી શકે છે.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટને યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો ધનમાં વધારો થવાની જગ્યા પર પૈસાની તંગી યથાવત થઈ રહે છે. માટે આજે અમે તમને મની પ્લાન્ટની દિશા વિશે જાણકારી આપી રહ્યા છીએ. વર્ષો સુધી લીલુ છમ રહેતો આ છોડ જોવામાં પણ ખૂબ જ સુંદર છે. મની પ્લાન્ટ ઘરની શોભા પણ વધારે છે અને સાથે જ જે ઘરમાં હોય છે ત્યાં પૈસાની કમી પણ નથી થતી. મની પ્લાન્ટનો છોડ તમને પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન પણ આપે છે.
કઈ દિશા છે પરફેક્ટ
વાસ્તુ અનુસાર, તમને દક્ષિણ પૂર્વની દિશામાં મની પ્લાન્ટ લગાવવું જોઈએ. આ દિશામાં તેને લગાવવાથી ધનની પ્રાપ્તિ અને સુખ સમૃદ્ધિમાં વિકાસ થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ બની રહે છે. તે ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારે ભૂલથી પણ મની પ્લાન્ટ ઉત્તર પૂર્વ અને પૂર્વ પશ્ચિમ દિશામાં ન લગાવવું જોઈએ.
તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. મની પ્લાન્ટ લગાવવા માટે આ દિશાને વાસ્તુ શાસ્ત્રને અનુપયોગી જણાવવામાં આવી છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી પતિ-પત્નીના સંબંધ પ પણ ખરાબ અસર પડે છે. તેની સાથે જ ધ્યાન રાખો કે જ્યાં તમે મની પ્લાન્ટ લગાવ્યો છે ત્યાં ગંદકી બિલકુલ ન રાખવી જોઈએ.