બોલિવૂડ એક્ટર ઝીશાન અયુબ હાલમાં વૅબ સિરીઝ તાંડવને લઇને ચર્ચામાં છે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વૅબ સિરીઝ તાંડવમાં ઝીશાનનો એક ડાયલોગ છે જેના કારણે ઝીશાન અને વૅબ સિરીઝની ચારે તરફ આલોચના થઇ રહી છે. ઝીશાનનો એક જૂનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યો છે.
ઝીશાન અયુબ પર વિવાદ
વીડિયોમાં જેએનયુ વિશે ટિપ્પણી
તાંડવના એક્ટરનો વીડિયો વાયરલ
શું છે વીડિયોમાં
ઝીશાનનો આ વીડિયો 2020નો છે જેમાં તે લોકોને શાહીનબાગમાં એકઠા થવાનું કહી રહ્યો છે. એક પત્રકાર શ્વેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ઝીશાનનો આ વીડિયો શૅર કર્યો છે અને લખ્યું છે કે આ વ્યક્તિએ આ પ્રોપગેન્ડા વીડિયોમાં તાંડવના બધા જ એપિસોડ કરતા સારુ પફોર્મ કર્યુ છે.
This guy put up a better performance in this propaganda video than in all episodes of #Tandav put together https://t.co/uZjT8OyMSM
ઝીશાને શું કહ્યું
આ વીડિયોમાં ઝીશાન કહી રહ્યો છે કે, મારી આ અપીલ જામિયા અને ઓખલાના લોકો માટે છે. જેટલા પણ લોકો બની શકે તેટલા શાહીનબાગ પર રહો. ત્યાં બે બસ જોવા મળી છે જેના અંદર પોલિસના લોકો છે અને કદાચ પેરામિલીટ્રીના લોકો પણ છે. ઘણા બધા લોકો ત્યાં જોવા મળ્યા છે અને બેરિકેટ હટાવવામાં આવ્યા છે. તમે જેટલા બની શકે તેટલી વધારે માત્રામાં ત્યાં ભેગા થાઓ. આ લોકો શાહીનબાગ પર હુમલો કરશે કારણકે તે એક સિંબલ બની ગયુ છે અને તેને ખત્મ કરવા માંગે છે. આ લોકો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે અને ઘણા બધા લોકો હશે તો તે કંઇ જ નહી કરી શકે.
લોકોને એકઠા થવા કરી અપીલ
ઝીશાન આગળ કહે છે કે, તમે જે પણ કામ કરી રહ્યાં છો તે છોડો અને પ્લીઝ શાહીનબાગ પર પહોંચો, ખાસ કરીને જામિયા અને ઓખલાના લોકો. બાકીના લોકો જેએનયુના દરવાજે પહોંચો, આ લોકો બધાના ઘરમાં ઘૂસી રહ્યાં છે. દિલ્હીના લોકો જેએનયુ પહોંચો.
વૅબ સિરીઝમાં ઝીશાન
ઝીશાન વૅબસિરીઝના પહેલા જ એપિસોડમાં કોઇ ડ્રામા કરી રહ્યો છે અને તે સ્ટેજ પર છે. જેમાં તે શિવ બન્યો છે પરંતુ તેનો ગેટ અપ સહેજ પણ ભગવાન શિવ જેવો નથી અને તે કોન્વરઝેશનમાં એવું લાગી રહ્યું છે કે ભગવાન શિવ અપશબ્દો બોલી રહ્યાં છે.