ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડનાં પ્રવાસ પર છે ત્યારે ભારતનાં દિગ્ગજ ખેલાડી મોહમ્મદ શમીએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે. જે બાદ ક્રિકેટ જગતમાં ભૂકંપ આવી ગયો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરીઝમાં હાર બાદથી અનેક લોકો ભારતીય ટીમ પર બળાપો કાઢી રહ્યા છે. સૌથી વધુ ટીકા જસપ્રીત બુમરાહની કરવામાં આવી રહી છે. વન ડે સીરીઝમાં બુમરાહને એક પણ વિકેટ મળી ન હતી જે બાદથી તે ઘણા બધા લોકોના નિશાને હતા જેનાં પર મોહમ્મદ શમીએ નિવેદન આપી બધાને જવાબ આપ્યો છે.
શમીએ કહ્યું અમુક લોકોને ખાલી ટીકા કરવાના રૂપિયા મળે છે
વન ડેમાં બુમરાહના ખરાબ પ્રદર્શન પર શમીએ કર્યો બચાવ
વન ડેમાં ભારતનો થયો હતો કારમો પરાજય
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન સારું નથી રહ્યું. ટી 20માં તેમણે ખૂબ રન લુટાવ્યા. વન ડેમાં તો તે એક પણ વિકેટ લઇ ન શક્યા. જે બાદ ક્રિકેટ જગતનાં ઘણા દિગ્ગજ લોકોએ સવાલ ઉભા કર્યા હતા. જે બાદ મોહમ્મદ શમીએ બધાને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અમુક લોકોએ ખાલી ટીકા કરવાના જ પૈસા મળે છે.
મોહમ્મદ શમીએ બુમરાહનો બચાવ કરતા કહ્યું કે કોઈ પણ ખેલાડીની બહાર બેસીને ટીકા કરવી સરળ છે પરંતુ મેદાન પર વાપસી કરવી સરળ નથી. આજકલ લોકોને ખેલાડીઓની ટીકા કરવાના જ પૈસા મળે છે. બુમરાહે દેશ માટે જે કર્યું તે તમે કેવી રીતે ભૂલી શકો છો. તમારે સકારાત્મક વસ્તુઓ પર જ ધ્યાન આપવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જયારે તમે અમુક દિવસોમાં સારું પ્રદર્શન કરી શકતા નથી ત્યારે લોકો ખૂબ અલગ રીતે વિચારવાનું શરુ કરી દે છે. તેથી આપણે કંઈ વધારે વિચારવાની જરૂર નથી.
ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરીઝમાં જસપ્રીત બુમરાહે એક પણ વિકેટ લીધી નથી. આવું તેમનાં કરિયરમાં પહેલીવાર થયું છે જયારે તેમણે સીરીઝમાં એક પણ વિકેટ ન ઝડપી હોય. ભારતનો આ સીરીઝમાં કારમો પરાજય થયો છે. બુમરાહ સિવાયના બોલર્સનું પણ ખૂબ નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. 31 વર્ષ બાદ ભારત કલીપ સ્વીપથી સીરીઝ હારી ગયું.