કેન્દ્ર સરકાર પ્રૉપર્ટી ઓનરશિપ માટે એક કાયદો બનાવી રહી છે. જેમાં પોતાની અચલિત મિલકતનાં માલિકી હક માટે આધાર કાર્ડ સાથે લિંક કરવો જરુરી થઈ જશે.
બેનામી મિલકતોનો ખુલાશો થશે
અચલિત મિલકતોને આધાર કાર્ડ સાથે લિંક કરાશે
આધાર કાર્ડ સાથે લિંક મિલકતમાં કોઈ ગોટાળો થશે તો સરકાર વળતર આપશે
બેનામી મિલકતનો ખુલાશો થશે
પ્રૉપર્ટી (Property)ની ખરીદી- વેચાણના ગોટાળા અને બેનામી સંપતિને પહોંચી વળવા માટે મોદી સરકાર મોટુ પગલું ભરવા જઈ રહી છે. કેંદ્ર સરકાર પ્રૉપર્ટી ઓનરશીપનાં કાયદા લાવી રહી છે. જેમાં અચલિત મિલકતોનાં હક માટે તેને આધાર કાર્ડ સાથે લિંક કરવી જરુરી રહે છે. જેમાં મિલકતના ખરીદ વેચાણમાં થતા ગોટાળા અને છેતરપિંડીને રોકવાની સાથે સાથે બેનામી સંપતીનો પણ ખુલાસો થશે.
કેન્દ્ર સરકાર મૉડલ કાયદો બનાવી રાજ્યને આપશે
એક અખબારમાં છપાયેલા સમચાર મુજબ, પ્રૉપર્ટીની ઓનરશીપ માટે કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે અને 5 સભ્યોની એક્સપર્ટ કમિટીનું નિર્માણ પણ થઈ ચૂક્યું છે. કમિટી રાજ્યો સાથે સમન્વય કરશે, કેમ કે પ્રૉપર્ટી સાથે જોડાયેલો મુદ્દો રાજ્ય સરકારનો છે એટલા માટે કેન્દ્ર સરકાર મૉડલ કાયદો બનાવી રાજ્યને આપશે.
આધાર સાથે લિંક કરવાનાં આ ફાયદા થશે
જે વ્યક્તિ પોતાની પ્રૉપર્ટી આધાર કાર્ડ સાથે લિંક કરશે. તેમની સંપતિ પર બીજું કોઈ હડપી લે કે છીનવી લે તેને છોડાવાની જવાબદારી સરકારની હેશે અથવા તેનું વળતર સરકાર આપશે. આધાર કાર્ડ લિંક નહી કરાવનારની જવાબદારી સરકારની રહેશે નહી. એક્સપર્ટ કમિટીનાં એક સભ્યએ જણાવ્યું છે કે આધાર લિંક કરાવવું એક વૈકલ્પિક રહેશે. જો લોકો ઈચ્છે છે કે સરકાર તેમની સંપતિની ગેરંટી લે તો લોકો તેમની સંપતિને આધાર સાથ લિંક કરાવવી પડશે.
નવા મૉડલનાં કાયદાનાં ફાયદા
રજિસ્ટ્રાર ઓફિસમાં જમીન નંબરનાં આધાર પર ટાઈટલ જનરેટ કરવો પડશે. જેને આધારનાં લિંક કરવું પડશે. રજિસ્ટ્રેશન પણ વેચ્યાં પછી થશે. જમીનનાં રેકોર્ડ અપડેટ થશે. અડધી પ્રોપર્ટી વેચ્યાં પછી પણ રોકોર્ડ અપડેટ થઈ જશે . બાયોમૈટ્રિકથી ઘરે બેઠાં પ્રોપર્ટી વેચી શકે છે. જોકે રજિસ્ટ્રેશનમાં એક મહિનાનો સમય લાગશે.
- કેવી રીતે આ લાગુ થશે નવો કાયદો - નવો કાયદો બે રીતે લાગુ પડશે. પહેલાં મિલકત વેચતા સમયે અને ટ્રાંસફર કરતાં સમયે આધાર કાર્ડ લિંક થશે. બીજુ જિલ્લાવાર તેને લાગુ કરવમાં આવશે.
- પ્રોપર્ટી ઓનરને શું ફાયદો થશે? - ગેરકાનૂની કસ્ટડીમાંથી સુરક્ષા મળશે. આસાનીથી લોન મળશે. જમીન સંબંધી કાયદાકીય મદદ માટે સિંગલ વિંડો હશે.
- કેવી રીતે સરકારને ફાયદો થશે- પ્રોપર્ટીની સુચનાઓમાં પારદર્શીતા રહેશે. માલીક અને પ્રોપર્ટી સંબંધી સુચનાઓ રિયલ ટાઈમે અપડેટ થશે. પ્રોપર્ટીથી જોડાયેલાં કેસ ઘટશે.