શેરબજારને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર શેરબજારમાં રોકાણ કરનારાને મોટી રાહત આપી શકે છે. કેન્દ્ર સરકાર ત્રણ મોટા ટેક્સમાં રાહત આપી શકે છે. STT, DDT અને LTCGથી છુટકારો આપી શકે છે.
STT, DDT, LTCGથી છુટકારો આપી શકે છે
ત્રણ ટેકસ નાબૂદ કરવાની તૈયારીમાં છે સરકારઃ સૂત્ર
સૌથી મોટો ફાયદો રોકાણકારોને અને વિદેશી રોકાણકારોને થશે
આ ત્રણ ટેક્સમાંથી છુટકારાનો ફાયદો મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવાવાળાને પણ મળશે. મળતી માહિતી મુજબ સરકાર ત્રણ ટેક્સ નાબૂદ કરવાની તૈયારીમાં છે. જેનો સૌથી મોટો ફાયદો રોકાણકારોને અને વિદેશી રોકાણકારોને થશે. સરકારના આ નિર્ણયથી શેરબજાર સકારાત્મક રહેશે અને SIP અને અન્ય રીતે રોકાણ પર વધુ વળતર મળશે. મહત્વનું છે કે, વિદેશી રોકાણકારોને આકર્ષવા સરકાર આ નિર્ણય કરી શકે છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે જો એવું થશે તો સેન્સેક્સ (Sensex), નિફ્ટી (Nifty) અહીંથી નવી ઉંચાઇએ પહોંચી જશે. તેનાથી તમે શેર ખરીદવા અને વેચવામાં નફો કરી શકશો કારણ કે એસટીટી નહીં આપવું પડે. ત્યારે, વધુ પૈસા બચાવવા પર પણ ટેક્સ નહીં આપવો પડે.
સાથે જ મ્યૂચુઅલ ફંડ (Mutual Funds Investment) રોકાણકારોને પણ આનો ફાયદો મળશે, કારણ કે આ નિર્ણયથી શેરબજાર (Stock Market) માં તેજી આવશે. તેવામાં SIP અને અન્ય પ્રકારથી લાગેલ પૈસા પર વધુ રિટર્ન મળશે.