કંપની કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયાનુ પાલન કર્યા બાદ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષોમાં 3.96 લાખથી વધુ કંપનીઓને સરકારી રેકોર્ડથી હટાવી દેવામાં આવી છે. સરકારી આંકડામાં આ વિગતો આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે 3.96 લાખથી વધુ કંપનીઓ કરી બંધ
છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષોમાં સરકારી રેકોર્ડમાંથી હટાવી દેવાઈ
કંપની કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કરાતા ભરાયા પગલાં
સરકારી રેકોર્ડમાંથી કંપનીઓને હટાવી
કંપની અધિનિયમ, 2013ને લાગુ કરનારા કોર્પોરેટ મામલાના મંત્રાલયે ગત નાણાંકીય વર્ષમાં સરકારી રેકોર્ડમાંથી 12,892 કંપનીઓને હટાવી. જ્યારે 2019-20માં આ સંખ્યા 2933 હતી. કોર્પોરેટ મામલાના રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહ દ્વારા મંગળવારે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં રજૂ કરેલા આંકડા જણાવે છે કે છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કુલ 3,96,585 કંપનીઓને રજીસ્ટ્રાર તરફથી હટાવવામાં આવી છે.
અનુપાલનમાં કમીને કારણે કંપનીઓને કરાઈ બંધ
વર્ષ 2016-17માં કુલ 7943 કંપનીઓને રજીસ્ટરમાંથી હટાવવામાં આવી છે. જ્યારે 2017-18માં આ સંખ્યા 2,34,371 અને વર્ષ 2018-19માં 1,38,446 હતી. અનુપાલનમાં કમીને કારણે ઘણી કંપનીઓને બંધ કરી દેવામાં આવી. આ સવાલ પૂછતા મંત્રીએ હામાં જવાબ આપ્યો. એક અન્ય લેખિત જવાબમાં સિંહે કહ્યું કે સીએસઆર (કોર્પોરેટ સામાજિક દાયિત્વ) માળખુ ડિસ્ક્લોઝર આધારિત છે અને સીએસઆર હેઠળ આવતી કંપનીઓને વાર્ષિક આવી ગતિવિધિઓનું માળખુ એમસીએ 21 રજીસ્ટ્રીમાં દાખલ કરવાનુ હોય છે.
5051 કરોડ રૂપિયાના મેમોરેન્ડમ કરાર પર સહી કરાવી
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 12 કંપનીઓને 5051 કરોડ રૂપિયાના મેમોરેન્ડમ કરાર પર સહી કરાવી. રાજ્યના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ કહ્યું કે આ એમઓયુ દ્વારા 9000થી વધુ રોજગારીની તકો ઉભી થશે.