કોરોના વાયરસનો માર સહન કરી રહેલા લોકોને પ્રધાનમંત્રી મોદીએ મોટી રાહત આપી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 1 લાખ 70 હજાર કરોડનું આર્થિક પેકેજનું એલાન કર્યું છે. આ સાથે જ કોરોના વોરિયર્સ માટે 50 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે મોદી સરકારની મોટી જાહેરાત
કોરોના વોરિયર્સને મળશે 50 લાખનું વીમા કવચ
નાણામંત્રીએ કરી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે કહ્યું કે, કોરોના સાથે જંગ લડી રહેલા આશા કાર્યકર્તા, સફાઇ કર્મીઓ, મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફ માટે 50 લાખ રૂપિયાના વીમા કવચનું એલાન કરવામાં આવે છે. તેનો ફાયદો 20 લાખ મેડિકલ સ્ટાફ તથા કોરોના વોરિયર્સને મળશે.
EPFને લઈને મોટી જાહેરાત
EPF વિશે વાત કરતા સરકારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપનીનો હિસ્સો આપશે. જેનો અર્થ છે કે સરકાર આગામી ત્રણ મહિના સુધી પીએફના 12-12 ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે. આ રાહત એ લોકોને લાગુ પડશે જેમાં 100 સુધી કમર્ચારીઓ ધરાવતી કંપનીઓ હશે જેમાં 90 ટકા કર્મચારીઓનો પગાર 15000થી ઓછો હશે. આ જાહેરાતથી 80 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને 4 લાખ કંપનીઓને ફાયદો મળશે.
આ ઉપરાંત PF સ્કીમ રેગ્યુલેશનમાં બદલાવ કરીને નોન રિફંડેબલ એડવાન્સ 75 ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકળવાની સુવિધા અપાશે.
ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ છે.
મહિલાઓ માટે મહત્વની જાહેરાત
20 કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિના જમા થશે.
વૃદ્ધો અન દિવ્યાંગોને પણ રાહત
વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે. આ આવતા ત્રણ મહિનાઓ સુધી રહેશે. જેને બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે. આ વર્ગના લોકો માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને મળશે.
મજૂરોની મજૂરી વધારાઈ
સીતારમણે જણાવ્યું કે મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. આ મજૂરી પેહલાં 182 રૂપિયા હતી જે હવે 202 રૂપિયા કરાઈ છે. જેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની આશા છે.
8 કરોડ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હપ્તાના 2000 રૂપિયા એપ્રિલ મહિનામાં તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાત 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.
નાણા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો
નિર્મલા સીતારમણે 1. 7 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી
સ્વાસ્થ્ય ક્ષેત્રના યોદ્ધા ડોક્ટર, સફાઈકર્મચારી આશાવર્કર, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટ લાઈન યોદ્ધા માટે કોઈ દુર્ઘટના ન થાય તે માટે 50 લાખ અમાઉન પ્રતિ વ્યક્તિ કરી