ગરીબ સર્વણોને 10% અનામતનો લાભ આપ્યા પછી મોદી સરકાર હવે ખેડૂતો બેરોજગાર અને ગરીબોને એક ભેટ આપવા જઇ રહી છે. કેન્દ્ર સરકાર આગામી કેબિનેટ બેઠકમાં આ વાતની જાહેરાત કરી શકે છે. આ બેઠક મકર સંક્રાંતિના એક દિવસ પછી એટલે કે 16 જાન્યુઆરીના યોજાશે.
કેન્દ્ર સરકાર મકર સંક્રાતિ પછી એક માસ્ટર સ્ટ્રોક આપવા જઇ રહી છે. કેબિનેટની આગામી બેઠકમાં સરકાર તમામ પ્રકારના ખેડૂતો બેરોજગાર અને ગરીબ લોકોને 30000 રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોનુસાર આ મદદને યૂનિવર્સલ બેસિક ઇન્કમ સ્કીમ (UBI)ના હેઠળ આપવામાં આવશે.
ખત્મ થઇ જશે સબ્સિડી:
આ સ્કીમ લાગૂ થયા પછી લોકોને રાશન અને LPG સિલેન્ડર પર મળતી સબ્સિડીનો ફાયદો નહી મળે. આ સ્કીમમાં તે ખેડૂતો શામેલ થશે જે બીજાને ત્યાં મજૂરી કરે છે. નવા પ્રસ્તાવ અનુસાર ખેડૂતોને ખેતી માટે હવે સરકાર સીધા ખાતામાં રૂપિયા આપશે. ખાસ વાત છે કે જે ખેડૂતોની પાસે પોતાની જમીન નથી તેમણે સરકાર આ સ્કીમમાં શામેલ કરીને ફાયદો પહોંચાડશે.
પ્રત્યેક મહિને મળશે આટલી રકમ:
મોદી સરકરાની આ સ્કીમ અનુસાર ગરીબ ખેડૂતો તથા બેરોજગારને પ્રત્યેક મહિનામાં 2500 રૂપિયા આપવામાં આવશે પરંતુ દર મહિનાની જગ્યાએ વર્ષમાં એકસાથે એક જ સમયે આ રાશિ આપવામાં આવશે. ખેડૂતના પરિવારને મદદ મળી શકશે. રાહત પેકેજમાં વીમો કૃષિ લોન આર્થિક મદદ પણ આપવામાં આવશે. આ સ્ક્રીમમાં નાના અને લોકોના ઘરે કામ કરતા ખેડૂતોને ફાયદો મળશે.
શું છે મોદી સરકારની સ્કીમ:
ખેડૂતોને રાહત આપવા માટે મદી સરકારે 2 મોડલનું અધ્યયન કર્યુ છે જેમાં ઓડિશાનુ મોડલ વધારે દમદાર છે. ઓડિશાનું કાલિયા મોડલમાં ખેડૂતોને 5 ક્રોપ સિઝનમાં 25000 રૂપિયા આપવામાં આવે છે. જોકે મોદી સરકાર ખેડૂતોને વાર્ષિક એકસાથે આર્થિક મદદ કરવાનો વિચાર કરી રહી છે.
શું છે UBI:
સંસદ 2016-17ના આપેલા આર્થિક સર્વેક્ષણમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યુ છે કે UBIએ શક્તિશાળી વિચાર છે અને તે સમયે લાગૂ કરવા માટે તે પરિપક્વ નથી તેના પર ગંભીર ચર્ચા થઇ શકે છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર કેન્દ્ર સરકારની લગભગ 950 યોજનાઓ ચાલે છે જેના પર કુલ ઘરેલૂ ઉત્પાદનની લગભગ 5% રાશિ ખર્ચ થાય છે. આ સિવાય મધ્યમ વર્ગના ખાદ્ય રસોઇ ગેસ અને ઉર્વરક પર કુલ ઉત્પાદનના 3% રાશિ ખર્ચ થાય છે. આ રાશિ લક્ષ્ય સમૂહ તક પહોંચી શકે તેમાં UBI સહાયક થઇ શકે છે.
બેંક ખાતામાં ટ્રાન્સફર થશે રાશિ:
આ સ્કીમમાં રાશિ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જશે.સર્વેક્ષણમાં અનુમાન લગાવવામાં આવ્યુ છે કે તેણે લાગૂ કરવાથી ગરીબીનો અડધા ટકાનો ઘટાડો થશે અને લાગૂ કરવા પર કુલ ઘરેલૂ ઉત્પાદનની માત્ર 4% રાશિ જ લાગશે.
2019ની ચૂંટણી પર નજર:
કેન્દ્ર સરકારની સીધી નજર હવે 2019માં થનારી લોકસભાની ચૂંટણી પર છે. આ માટે બજેટમાં આ યોજનાની જાહેરાત થઇ શકે છે જેથી ફરી એક વખત ભાજપ સરકાર બહુમતથી જીતી શકે. મોદી સરકાર આ સ્કીમ પર છેલ્લા 2 વર્ષથી કામ કરી રહી છે. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યમે 29 જાન્યુઆરી 2018માં કહ્યુ કે આગામી વર્ષોમાં 1-2 રાજ્યમો UBIની શરૂઆત થઇ શકે છે.
અહીંયા શરૂ થઇ ચૂક્યો છે પાયલટ પ્રોજેકટ:
મધ્ય પ્રદેશમાં વર્ષ 2010-2017 દરમિયાન ચાલેલા પાયલટ પ્રોજેક્ટમાં ઘણા સકારાત્મક પરિણામો આવ્યા હતા. ઇન્દોરના 8 ગામોના 6000ની આઝાદીની વચ્ચે પુરુષો અને મહિલાઓને 500 અને બાળકોને દર મહિને 150 રૂપિયા આપ્યા છે. ત્યારે તેલંગાના અને ઝારખંડ જેવા નાના રાજ્યોમાં પણ આ પ્રકારની સ્કીમ ચાલી રહી છે. તેલગંનામાં સરકાર આ ખેડૂતોની બીજ રોપ્યા પહેલા અને પછી 4-4 હજાર રૂપિયાની મદદ આપે છે.
આ દેશમાં લાગૂ છે UBI:
સાઇપ્રસ ફ્રાન્સ અમેરિકા સહિત ઘણા રાજ્ય બ્રાઝિલ કેનેડા ડેનમાર્ક ફિનલેન્ડ જર્મની નેધરલેન્ડ આયરલેન્ડ જેવા દેશઓમાં આ પ્રકારની વ્યવસ્થા પહેલાથી લાગૂ થઇ ચૂકી છે.