ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ કલમ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને રાજ્યમાં ફોન, મોબાઇલ સર્વિસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે હવે ધીરે-ધીરે રાજ્યમાં ફોન સેવા પરના પ્રતિબંધ દૂર કરવામાં આવી રહ્યાં છે.
આજે જમ્મૂના ડોડા, કિશ્તવાડ, રામબન, રાજૌરી, પૂંછ જિલ્લામાં મોબાઇલ સેવા ફરી શરૂ કરવામાં આવશે. જો કે હજુ પણ ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી નથી, માત્ર મોબાઇલ કોલિંગ શરૂ કરવામાં આવશે. કાશ્મીર ઘાટીના બે જિલ્લાઓમાં પણ મોબાઈલ સેવા થોડા સમયમાં શરૂ થશે. ઘાટીના હંદવાડા અને કુપવાડામાં મોબાઈલ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ રહી છે.
Mobile phone services snapped across #JammuAndKashmir since August 5, resumed in five districts of Jammu region- DODA, KISHTWAR, RAMBAN, RAJOURI and POONCH pic.twitter.com/DO6BK3halF
કલમ 370 હટાવ્યા બાદ રક્ષામંત્રી આજે પહેલીવાર લદ્દાખની મુલાકાતે
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખની મુલાકાતે જશે. કલમ 370 હટાવ્યા બાદ તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ કેન્દ્ર સરકારના કોઇ દિગ્ગજ મંત્રીની આ પ્રથમ મુલાકાત છે.
રક્ષા મંત્રી લદ્દાખમાં સુરક્ષાને લઇને સમીક્ષા કરશે. રક્ષા મંત્રી રાજનાથસિંહ લદ્દાખમાં લોકો સાથે મુલાકાત કરશે તેમજ કેટલાંક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. લદ્દાખમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ જવાનો સાથે મુલાકાત પણ કરશે.
આજે શ્રીનગર જશે સીતારામ યેચુરી
સુપ્રીમ કોર્ટમાંથી મળેલી મંજૂરી બાદ CPM નેતા સીતારામ યેચૂરી આજે શ્રીનગર જશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ યેચૂરી શ્રીનગર પહોંચ્યા હતા જ્યાં તેમને એરપોર્ટ રોકવામાં આવ્યાં હતા. જેને લઇને સીતારામ યેચૂરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેને લઇને સુપ્રીમ કોર્ટે યેચૂરીને શ્રીનગર જવાની મંજૂરી આપી હતી.
રાજ્યપાલે નોકરીને લઇને કરી જાહેરાત
જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે પત્રકાર પરિષદમાં અનેક બાબતોને લઇને વાત કરી. આ દરમિયાન રાજ્યપાલે ઘાટીમાં 50 હજાર નોકરીઓની જાહેરાત પણ કરી હતી. જે આગામી બે-ત્રણ મહિનામાં ભરી દેવામાં આવશે. રાજ્યપાલે એમ પણ જણાવ્યું કે કેન્દ્ર સરકાર જલ્દી જ કાશ્મીર માટે મોટા પેકેજની જાહેરાત કરશે.