રાજસ્થાનની રાજધાની જયપુરમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ પુરા વિસ્તારમાં 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર જયપુરના ગલતા ગેટ, રામગંજ, સુભાષ ચોક, માણક ચોક, બ્રહ્મપુરી, કોતવાલી, સંજય સર્કલ, નાહરગઢ, શાસ્ત્રીનગર, ભટ્ટા બસ્તી, આદર્શનગર, મોતી ડૂંગરી, લાલ કોઠી, ટ્રાન્સપોર્ટ નગર અને જવાહર નગરમાં સોમવાર રાતથી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.
સાંપ્રદાયિક હિંસા બાદ જયપુરમાં ધારા 144 લાગુ
ઘટનામાં 9 પોલીસકર્મી સહિત 24 લોકોને થઇ હતી ઇજા
પોલીસની કાર્યવાહી બાદ હવે શાંતિપૂર્ણ વાતાવરણ
જયપુરમાં સોમવારની રાતે બે સમુદાય સામ-સામે આવી ગયા હતા. બંને તરફથી એકબીજા પર ભારે પથ્થરમારો થયો. સાંપ્રદાયિક હિંસ વચ્ચે 9 પોલીસકર્મીઓ સહિત બંને પક્ષના કુલ 24 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
જો કે સાંપ્રદાયિક હિંસા બાદ 10 પોલીસના ક્ષેત્રોમાં ઇન્ટરનેટ સેવા બુધવાર રાત સુધી બંધ કરી દેવામાં આવી છે, જ્યારે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસા ત્યારે ભડકી જ્યારે કેટલાંક લોકો ગાલ્ટા ગેટ પાસે દિલ્હી હાઇવે જામ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.
આ વચ્ચે હરિદ્વારની બસ પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો. આ ઘટનામાં કેટલાંક યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા બાદ અફવાહ ફેલાતાં બે સંપ્રદાયના લોકો રોડ પર એકઠા થઇ ગયા હતા. જોતજોતામાં બંને તરફથી પથ્થરમારો શરૂ થઇ ગયો.
જો કે માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે આ ઘટના પર પોલીસકર્મીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ભીડ દ્વારા અડધા ડઝનથી વધારે ગાડીઓના કાચ તોડવામાં આવ્યાં.
જો પોલીસના જણાવ્યા અનુસાર આ તણાવની શરૂઆત રવિવારથી થઇ હતી. જ્યારે એક સંપ્રદાયની ધાર્મિક યાત્રાએ જઇ રહેલા યાત્રીઓ સાથે બીજા ધર્મના લોકોએ ગાલ્ટા ગેટ નજીક ખોટો વ્યવહાર કર્યો હતો.