બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / Politics / MNS Chief Raj Thackeray Ultimatum all loudspeakers on mosques be removed in state by May 3

વિવાદ / તમામ મસ્જિદોને રાજ ઠાકરેનું અલ્ટિમેટમ: ઈદ સુધીમાં લાઉડસ્પીકર હટાવી દો, સરકારને પણ આપી ધમકી

Parth

Last Updated: 08:01 AM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા મામલે રાજ ઠાકરેએ ત્રીજી મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે.

  • રાજ ઠાકરેના નિવેદનથી મહારાષ્ટ્રમાં ખળભળાટ 
  • મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે આપ્યું અલ્ટિમેટમ 
  • સરકારથી થાય એ કરી લે: રાજ ઠાકરે 

દેશભરમાં છેલ્લા એક મહિનાથી સતત સાંપ્રદાયિક તણાવ વધી રહ્યો છે, પહેલા હિજાબ વિવાદ અને પછી લાઉડસ્પીકર વિવાદ થયો. તે બાદ રામનવમીના દિવસે થયેલ હિંસાએ દેશભરમાં અત્યારે તણાવ વધારી દીધો છે ત્યારે લાઉડસ્પીકર વિવાદમાં રાજ ઠાકરેએ ફરીથી મોટું નિવેદન આપ્યું છે.  

રાજ ઠાકરેનું તેજાબી ભાષણ 
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે રાતે ફરીથી મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદોને લાઉડસ્પીકરને લઈને અલ્ટિમેટમ જાહેર કર્યું છે. થાણેમાં ઠાકરે બોલ્યા કે હું સરકારને કહી દેવા માંગુ છું કે આ મુદ્દે હું પાછળ હટવાનો નથી, તમારાથી થાય એ કરી લો. કયો ધર્મ એવું કહે છે કે બીજા ધર્મને તકલીફ આપો. કોર્ટે કહ્યું છે કે લાઉડસ્પીકર હટી જવા જોઈએ, સરકારને કેમ નથી દેખાતું? વોટ માટે? 

મસ્જિદોને આપ્યું અલ્ટિમેટમ 
રાજ ઠાકરેએ કહ્યું કે ત્રીજી મેના રોજ ઈદ છે અને ત્યાં સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવે છે. જો લાઉડસ્પીકર નહીં હટે તો પછી અમે હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી દઇશું. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલય કહે છે કે અમને રમખાણો નથી જોઈતા. ત્રીજી મે સુધી તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દો, અમારા તરફથી કોઈ જ તકલીફ નહીં પડે. 

શરદ પવાર પર આકરા પ્રહાર 
આ સિવાય રાજ ઠાકરેએ PM મોદીને પણ અપીલ કરી કે દેશભરમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની જરૂર છે અને વસ્તી નિયંત્રણ પર પણ કાયદાની જરૂર છે. થાણેની સભામાં રાજ ઠાકરેએ શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પવાર પોતાની સભામાં ક્યારે શિવાજી મહારાજનું નામ લેતા નથી. તેમને ડર લાગે છે કે શિવાજી મહારાજનું નામ લઇશ તો મુસલમાનોના વોટ નહીં મળે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ