બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના પિતા બસંત કુમાર ચક્રવર્તીનું નિધન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ લાંબી બીમારી બાદ બસંત કુમારે મંગળવારે મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા. તેમની ઉંમર 95 વર્ષની હતી અને કિડની ફેલ્યોરને કારણે તેમની મોત થઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, સૂત્રો મુજબ, મિથુન હાલ બેંગલુરુમાં ફસાયેલા છે. તે મુંબઈ પહોંચવાની કોશિશ કરી રહ્યાં છે. મિથુન કોઈ શૂટિંગ માટે બેંગલુરુ ગયા હતા.
મિથુન ચક્રવર્તીએ પોતે આ વાતની પુષ્ટિ નથી કરી પરંતુ હાલમાં જ એક રિપોર્ટમાં મિથુનના પિતાના નિધનના સમાચાર મળ્યાં છે. આ રિપોર્ટના સૂત્રો અનુસાર તેમનું નિધન 21 એપ્રિલ મુંબઈમાં થયું છે. ત્યારે મિથુન મુંબઈમાં હાજર નથી. જોકે, મિથુનનો દિકરો મિમોહ મુંબઈમાં જ છે.
My deep condolences on the sudden demise of your father,Mithun Da.
Stay strong & may his soul rest in peace forever 🙏
આ સિવાય એક જાણીતી બંગાળી અભિનેત્રી રીતુપર્ણ સેન ગુપ્તાના ટ્વિટને કારણે પણ ચર્ચા થઈ રહી છે. તેણે હાલમાં જ ટ્વિટ કરીને લખ્યું-મિથુન દા તમારા પિતાના અચાનક નિધન પર મારી શ્રદ્ધાંજલિ. હિંમત રાખો અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
કહેવામાં આવી રહ્યું છે કે બસંત કુમાર કલકત્તા ટેલિફોનમાં ભૂતપૂર્વ કર્મચારી રહી ચૂક્યા છે. તેમને ચાર બાળકો છે. જેમાંથી ગૌરાંગ ચક્રવર્તી એટલે કે મિથુન સૌથી મોટો છે.