વેબ સિરીઝ મિર્ઝાપુરનાં મુન્ના ભૈયાનાં નામથી જાણીતા એક્ટર દિવ્યેન્દુ શર્મા તેના એક નિવેદનને લઈને ચર્ચમાં છે. જાણો ખેડૂત આંદોલન અંગે શું કહ્યું.
ખેડૂતો માટે પ્રેરણાદાયી ફિલ્મ
દિવ્યેન્દુ શર્માની આગામી ફિલ્મ ખેડૂતો માટે ખાસ
યંગ એન્જિનિયરનાં કેરેક્ટરમાં જોવા મળશે દિવ્યેન્દુ
મેરે દેશ કી ધરતી ફિલ્મ પ્રેરણાદાયક
દિવ્યેન્દુ એ તેની આગામી ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે તેની આગામી ફિલ્મ મેરે દેશ કી ધરતી વર્તમાનમાં ચાલી રહેલ ખેડૂત આંદોલન માટે પ્રાસંગિક રહેશે. ફિલ્મમાં દિવ્યેન્દુ શર્મા દ્વારા નીભાવવામાં આવનાર યુવા એન્જિનિયર અજયનાં જીવન પર આધારિત કહાણી પ્રેરણાદાયક બની રહેશે. ફિલ્મને લઈને ખૂબ પ્રોટેક્ટિવ
દિવ્યેન્દુ શર્માએ કહ્યું કે, આ ફિલ્મ મારા દિલની ખૂબ નજીક છે અને માટે જ હું આ ફિલ્મને લઈને ખૂબ પ્રોટેક્ટિવ છું. હું ઈચ્છુ છુ કે આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, ખાસ કરીને ખેડૂતો સુધી, અમે આ ફિલ્મમાં જે પણ કર્યું છે તેનાંથી કદાચ તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે પણ તેમને એ પ્રકારની પ્રેરણા આપશે કે જેનાંથી તેમની થોડી મદદ જરુરથી થઈ શકશે.
વર્તમાન પરિસ્થિતિને રિલેટ કરી શકાશે
દિવ્યેન્દુ શર્માએ વધુમાં કહ્યું કે, આ મારા માટે વિશેષરુપે વર્તમાન પરિસ્થિતિને લઈને વધારે ખાસ છે, ખેડૂતોની સાથે શું થઈ રહ્યું તે વધારે મહત્વપૂર્ણ બની જાય છે. આ ફિલ્મમાં અનંત વિધાત, અનુપ્રિયા ગોયન્કા પણ છે. જેને ફરાઝ હૈદર દ્વારા ડિરેક્ટ અને વૈશાલી સરવનકર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. પ્યાર કા પંચનામાથી ઓળખ મળી
ઉલ્લેખનીય છે કે દિવ્યેન્દુ શર્માએ પ્યાર કા પંચનામાથી ફિલ્મોમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. ગત વર્ષે તેની સિરીઝ મિર્ઝાપુરમાં દિવ્યેન્દુને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે બિચ્છુ કા ડંખ નામની સિરીઝમાં પણ જોવા મળ્યો હતો.