સમગ્ર દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી તેમ કહીએ તો ખોટું નથી. કારણ કે હાથરસની ઘટનાએ ફરી એકવાર સમગ્ર દેશને એક કરી દીધો છે. 2012નો નિર્ભયા કાંડ જેને આ દેશ ક્યારેય ભૂલી શકે તેમ નથી. તો આ દેશમાં રોજે રોજ અનેક દીકરીઓ બળત્કારનો ભોગ બને છે. જોકે હવે ગુજરાત પણ સુરક્ષિત નથી રહ્યું તેમ કહેવામાં જરા પણ અતિશોયુક્તિ નથી. કારણ કે રાજ્યમાં 3 દિવસમાં દુષ્કર્મની 3 ઘટના સામે આવી છે. ત્યારે જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.
જામનગર જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ
પીડિતાના પિતાએ એક સપ્તાહ પૂર્વે કરી લીધી આત્મહત્યા
અશ્વિન વાઢીયા નામના શખ્સ સામે નોંધાવી ફરિયાદ
જામનગરના જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા પર બાજુના વિલાસપુર ગામના એક હેવાને ધમકી આપીને 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. એટલું જ નહીં દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાની તેના પિતાને જાણ થતા પિતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. પીડિતાના પિતાએ એક અઠવાડિયા પહેલા આત્મહત્યા કરી હતી. સગીર વયની યુવતી સાથે અશ્વિન વાઢીયા નામના શખ્સે આઠ મહિના પહેલા 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યા
અશ્વિન વાઢિયાએ છરીની અણીએ ધમકી આપીને 2 વખત દુષ્કર્મ આચર્યું
વિલાસપુર ગામના અશ્વિન વાઢિયા નામના શખ્સે કેટલાક મહિના અગાઉ યુવતીને છરીની અણીએ ધમકી આપીને 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. શખ્સે ધમકી આપી હતી કે આ અંગે કોઇને જાણ કરીશ તો તેના ભાઈ અને પિતાને મારી નાખીશ. આ ડરના કારણે યુવતી ચૂપ રહી હતી, પરંતુ ગત 22મી તારીખે આ દુષ્કર્મની ઘટના અંગે તેના પિતાને જાણ થતા તેઓ આઘાતમાં પડી ગયા હતા અને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
જામજોધપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
આત્મહત્યાના બનાવની જામજોધપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતા આજે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી અશ્વિન વાઢીયા વિરૂદ્ધ IPC 376 (2), N.506-2 અને પોક્સો એક્ટની કલમ 4, 6 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. રે હવે જામજોધપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.