કોરોના વેક્સિનને લઇને Indian Council of Medical Research (ICMR) અને મિનિસ્ટ્રી ઑફ સાઇન્સ એન્ડ ટેક્નોલોજી વચ્ચે પરસ્પર સંપ નથી દેખાઇ રહ્યો. જોકે મંત્રાલયે પોતાના જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝથી તે નિવેદન હટાવી લીધું છે, જેનાથી બન્ને વચ્ચે અસહમતિ દેખાઇ રહી હતી.
કોરોનાની વેક્સિન 2021 સુધી આવવાની સંભાવના નહીં
ICMRના દાવા પર વિજ્ઞાન મંત્રાલયે કરી સ્પષ્ટતા
"આ વર્ષે કોરોનાની વેક્સિન મળે તેવી કોઇ સંભાવના નથી"
કોરોનાની વેક્સિન 2021 સુધી આવવાની સંભાવના નથી. ICMRના દાવા મુદ્દે વિજ્ઞાન મંત્રાલયે આ સ્પષ્ટતા કરી છે. વિજ્ઞાન મંત્રાલયે કહ્યું છે કે, COVAXIN અને ZyCov-Dની સાથો સાથ દુનિયાભરમાં 140 વેક્સિન બનાવવા વાળી કંપનીઓમાંથી 11 હ્યૂમન ટ્રાયલ માટે તૈયાર છે, પરંતુ આમાંથી કોઇ પણ વેક્સિનને 2021 પહેલા મોટા પ્રમાણમાં ઉપોયગ માટે તૈયાર થવાની સંભાવના નથી. તેથી આ વર્ષે કોરોનાની વેક્સિન મળે તેવી કોઇ સંભાવના નથી.
આ પહેલાં ICMRએ દાવો કર્યો હતો કે, 15 ઓગસ્ટ સુધીમાં વેક્સિન આવી જશે. ICMRના દાવા પર વિપક્ષ સહિત અનેક સંગઠનો સવાલો ઉઠાવી ચુક્યા છે. ICMRના કહેવા પ્રમાણે 140માંથી 11 વેક્સિન હ્યુમન ટ્રાયલ માટે તૈયાર છે. 11માંથી 2 વેક્સિન ભારતમાં બનાવેલી છે. અત્યારે 6 ભારતીય કંપની કોરોનાની વેક્સિનને લઇને કામ કરી રહી છે. કોવેક્સિનને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે.