કાંચીપુરમના મંદિરમાં અન્નદાન પ્રસંગે એક અનુસૂચિત જાતિની મહિલા અને તેના પરિવારનું અપમાન કરવામાં આવ્યું હતું. તેને મંદિરમાં ભોજન પીરસતા અટકાવવામાં આવ્યો અને મારપીટ કરવામાં આવી
મંદિરમાં મહિલાને ભોજન આપવાથી રોકવામાં આવ્યો
મંદિરમાં અનુસૂચિત જાતિની મહિલા સાથે કરાયો ભેદભાવ
ભોજન કરવાથી રોકવામાં આવી અને માર માર્યો
மாண்புமிகு முதல்வர் @mkstalin அவர்கள் வழிகாட்டுதல்படி, மாமல்லபுரம் அ/மி ஸ்தலசயன பெருமாள் திருக்கோயிலில் நேரில் ஆய்வு மேற்கொண்டு, பொதுமக்களுக்கு நலத்திட்ட உதவிகள் வழங்கினோம். திருக்கோயில் அன்னதானம் அனைத்து தரப்பு மக்களுக்கும் பொதுவானது. இன்று பொதுமக்களோடு அன்னதான உணவு உட்கொண்டோம். pic.twitter.com/36a8G2Araz
મહિલાએ ફરિયાદ કરી કે મંદિરમાં તેનું અપમાન કરવામાં આવ્યું
થોડા દિવસ પહેલા મમલ્લાપુરમની એક મહિલાએ ફરિયાદ કરી હતી કે, કાંચીપુરમના એક મંદિરમાં અન્નદાનના પ્રસંગમાં તેનું અને તેના પરિવારનું અપમાન કરવામાં આવ્યું હતું, તેણીને મંદિરમાં ભોજન પીરસતાં અટકાવવામાં આવી હતી. અને મારપીટ કરવામાં આવી હતી કારણ કે નારીકુરાવ સમુદાયની હતી. હલે મંત્રી પી.કે. શેખર બાબુએ તે મહિલા સાથે બેસીને ભોજન લીધી હતી
અનુસૂચિત જાતિની મહિલાઓને મંદિરમાં ભોજન આપવામાં આવતું નથી
મહિલાએ ફરિયાદ કરી હતી કે, તે તેના પરિવાર સાથે મંદિરમાં ગઈ હતી. ત્યારે તેને છેક છેલ્લે બેસાડવામાં આવી હતી. ભોજન પીરસવામાં આવે તે પહેલા જ મંદિરના કાર્યકર્તાઓ ત્યાં આવી ગયાં અને તેમને ત્યાંથી જવાનું કહ્યું, જ્યારે તેણે પ્રતિકાર કર્યો તો તેને માર મારવામાં આવ્યો હતો. મહિલાએ કહ્યું કે,નારીકુરાવ ( અનુસૂચિત જનજાતિ) હોવાના કારણે તેનું શોષણ કરવામાં આવ્યું હતું.
મંત્રીએ નારીકુરાવ સમુદાયના લોકો સાથે ભોજન લીધું
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના માટે મંદિર પ્રશાસનની ટીકા થઈ હતી, જોકે તમિલનાડુના મંત્રી પીકે શેખર બાબુએ મંદિરની મુલાકાત લીધી હતી અને આ બાબતે પૂછપરછ કરી હતી. આ પછી મહિલાને મંત્રી શેખર બાબુ અને અન્ય અધિકારીઓ સાથે અન્નદાન માટે મંદિર બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના અન્નદાનમાં તે મહિલા સાથે બેસીને ભોજન લીધું હતું