જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નેશનલ કૉન્ફ્રેન્સ નેતાના ઘર પર ગ્રેનેડ હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના મામલે મળતી વધુ વિગતો મુજબ કાશ્મીરના નેશનલ કૉન્ફ્રેન્સ નેતા મોહિદ્દીન મીરના મુર્રનના ઘર પર આજરોજ મોડી સાંજ આતંકીઓએ કથિત ગ્રેનેડ હુમલો કર્યો હતો.
આ સાથે જ નેશનલ કૉન્ફ્રેન્સ નેતાના ઘર પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચારો પ્રાપ્ત થયાં નથી.
Jammu and Kashmir: Terrorists hurl grenade on the residence of NC leader Ghulam Mohi Ud din Mir, at Muran, Pulwama. It exploded outside the compound wall. No loss of life or injury reported. pic.twitter.com/lOcP2bMpT8
આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. જો કે, હુમલો થયાં બાદ હુમલો કરનારાઓ ફરાર થઇ ગયા હતા. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા પુલવામામાં વિસ્તારમાંથી પસાર થતા સેનાના કાફલા નજીક બ્લાસ્ટ થયો હતો.
જેમાં સેનાના કેટલાય જવાનો શહીદ થયાં હતા. ત્યારે આજરોજ ફરીએકવાર પુલવામામાં આવેલ નેશનલ કૉન્ફ્રેન્સ નેતાના ઘર પર જ ગ્રેનેડ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.