બહુ જ ખરાબ હોય છે માઈગ્રેનનો દુખાવો. જો દવાઓ ખાધા વિના દેશી ઉપચારથી મટાડવો હોય તો જાણી લો.
માઈગ્રેનના દુખાવાની અવગણના કરવી નહીં
સતત માથું દુખતું હોય તો કરો આ દેશી ઉપચાર
દવાઓ વિના માથાનો દુખાવો મટાડી દેશે આ ઉપાય
માઇગ્રેન એક ન્યૂરોલોજિકલ કન્ડીશન છે જેમાં માથામાં તીવ્ર દુખાવો અને ભારેપણું રહે છે. ઘણીવાર માઇગ્રેનના કારણે લોકોને ઉલ્ટી, ચક્કર આવવા, શરીરના કોઈ ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર અવાજ અને રોશનીમાં મુશ્કેલી પડવા જેવી સમસ્યા થવા લાગે છે. જોકે, આ કોઇ પણ ઉંમરના લોકોને થઇ શકે છે પરંતુ મહિલાઓ માઇગ્રેનની વધુ શિકાર બને છે. આ ઉપરાંત માતા અથવા પિતાને માઇગ્રેનની ફરિયાદ હોય તો બાળકો પણ તેના શિકાર બની શકે છે.
માઇગ્રેશન કેમ થાય છે?
અત્યાર સુધી કોઇપણ શોધમાં આ જાણકારી નથી મળી કે માઈગ્રેન થવાનું કારણ શું છે. પરંતુ આ કયા કારણોથી વધે છે તે જણાવી શકાય છે. બ્રેનમાં રહેલાં કેમિકલ સેરોટોનિન જ્યારે નિશ્ચિત લેવલથી ઓછું થવા લાગે છે ત્યારે માઇગ્રેન ટ્રિગર થાય છે. આ ઉપરાંત તીવ્ર રોશનીમાં વધુ સમય સુધી રહેવું, વધારે ગરમી, ડિહાઇડ્રેશન, બોરોમેટ્રિક પ્રેશરમાં ફેરફાર, હોર્મોનલ ચેન્જ, પ્રેગનેન્સી, મહિલાઓમાં પીરિયડ, સૌથી વધારે સ્ટ્રેસ, તીવ્ર અવાજ, અપૂરતી ઊંઘ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ વગેરે માઇગ્રેઇનનું કારણ હોઇ શકે છે.
ઉપાય
જો તમે ક્રોનિક માઇગ્રેનથી ગ્રસ્ત છો તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જોકે, ભોજન અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને પણ રાહત મેળવી શકો છો, આ સાથે જ કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવીને પણ તમે આ દુખાવાથી બચી શકો છો.
જ્યારે પણ માઇગ્રેઇનનો દુખાવો થાય બરફના ચાર ક્યૂબ્સને રૂમાલમાં લપેટીને તેને માથા પર રાખો. લગભગ 15 મિનિટ સુધી આમ કરો. તેનાથી તમને માથાના દુખાવામાં આરામ મળશે.
દરરોજ સવારે ખાલી પેટ થોડો ગોળ મોઢામાં રાખો અને ઓગળે એટલે ઠંડા દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેનના દુખાવામાં આરામ મળે છે.
આદુનો એક નાનો ટુકડો દાંતની વચ્ચે દબાવી લો અને તેને ચૂસતાં રહો. માઇગ્રેનના દુખાવાને ઓછો કરવામાં મદદ મળશે.
તજને પીસીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર લગભગ અડધા કલાક સુધી લગાવીને રાખો. દુખાવાથી રાહત મળશે.
તીવ્ર રોશનીથી પણ માઇગ્રેનનો દુખાવો થાય છે. એવામાં માઇગ્રેનની સમસ્યા થવા પર તીવ્ર રોશનીથી શક્ય હોય એટલું દૂર રહો.
ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂઇ જાઓ. સારી અને પૂરતી ઊંઘ લેવા પર માઇગ્રેનની સમસ્યામાં આરામ મળે છે.