દુનિયાના ટોચના અબજોપતિ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બીલ ગેટ્સે કોરોનાને લઈને એક ગંભીર ચેતવણી આપી છે.
દુનિયાના ટોચના અબજોપતિ બીલ ગેટ્સની ભવિષ્યવાણી
વર્લ્ડમાં થોડા વખતમાં આવશે કોરોના જેવી મહામારી
કોરોનાનો નવો વેરિયન્ટ ફેલાવશે મહામારી
માઈક્રોસોફ્ટના સંસ્થાપક બીલ ગેટ્સે કહ્યું કે દુનિયામાં થોડા વખતમાં કોરોના જેવી વધુ એક મહામારી આવશે. જોકે તેમણે સ્પસ્ટ કહ્યું કે કોરોનાથી ગંભીર રીતે બીમાર પડવાનો ખતરો ઘણો ઓછો થઈ ગયો છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કે લોકોમાં આ વાયરસની સામે પ્રતિરોધક ક્ષમતા પેદા થઈ રહી છે.
કોરોના પરિવારના બીજા વાયરસ દ્વારા ફેલાશે મહામારી
બીલ ગેટ્સે કહ્યું કે ભવિષ્યમાં આવનાર મહામારી કોરોના વાયરસના પરિવારના બીજો જીવાણુથી આવી શકે છે. જોકે તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે મેડિકલ ટેકનોલોજીમાં આવેલા વિકાસની મદદથી દુનિયા આવનારી મહામારી સાથે સારી રીતે કામ પાર પાડી શકશે. તેમણે કહ્યું કે તેને માટે અત્યારથી તૈયારી કરી રાખવી પડશે. કોરોના છેલ્લા 2 વર્ષથી આપણી વચ્ચે છે અને તેની ખરાબ અસર હવે ઓછી થઈ રહી છે.
વૈશ્વિક વસતીમાં કેટલીક હદે ઈમ્યુનિટી પેદા થઈ
બીલ ગેટ્સે કહ્યું કે આવું એટલા માટે થઈ રહ્યું છે કે કારણ કે વૈશ્વિક વસતીમાં કેટલીક હદે ઈમ્યુનિટી પેદા થઈ છે. ઓમિક્રોન વેરિયન્ટે દેખાડી દીધું છે કે તેની ગંભીરતા હજુ સુધી ઓછી થઈ નથી. જ્યારે વાયરસ ફેલાય છે ત્યારે તે તેની પોતાની ઈમ્યુનીટી પેદા કરે છે. આ આદત વિશ્વ સમુદાયની મહામારીમાંથી બહાર નીકળવામાં વેક્સિનની તુલનામાં વધારે કારગર સાબિત થઈ છે.
શા માટે ખરાબ સમાચાર BA.2 ખૂબ ઘાતક
સબ-વેરિઅન્ટ BA.2ને સ્ટીલ્થ ઓમિક્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંગે ત્રણ મહત્વની બાબતો છે જેને જાપાનની ટીમે માન્યતા આપી છે. BA.2 ગંભીર બીમારી પેદા કરવામાં સક્ષમ છે. આ અભ્યાસ પ્રીપ્રિન્ટ રિપોઝીટરી BioRxiv પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જો કે, તેની સમીક્ષા કરવાની બાકી છે. સંશોધકોએ કહ્યું કે BA.2 એ ઓમિક્રોન સબવેરિયન્ટ તરીકે જાણીતું છે, પરંતુ તેની જીનોમ સિક્વન્સિંગ BA.1 કરતા નોંધપાત્ર રીતે અલગ છે.