દેશમાં કોરોનાના વધતા સંક્રમણ મુદ્દે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના દરરોજ 7 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. તહેવારો વખતે ઉમટેલી ભીડના પગલે દેશભરમાં કોરોના વકર્યો છે.
વધતા સંક્રમણને કાબૂમાં લાવવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગે બુધવારે ગાઈડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાન્સ 1 ડિસેમ્બરથી લાગુ થશે અને 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
Only essential activities allowed in Containment Zones. Local district, police & municipal authorities shall be responsible to ensure that prescribed Containment measures are strictly followed & State/UT Govts shall ensure accountability of concerned officers: MHA#COVID19https://t.co/R4ZwuA74Ze
આ તરફ કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓની જ અનુમતિ આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન આખા ડિસેમ્બર સુધી લાગુ રહેશે. સ્થાનીય જિલ્લા તંત્ર, પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું સખ્તીથી પાલન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. અધિકારીઓને આ માટેનું જવાબદારી જે તે રાજ્ય સરકાર સોંપશે.
નોંધનીય છે કે દેશમાં 92 લાખથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે જે પૈકી આશરે સાડા ચાર લાખ એક્ટિવ કેસ છે.