કેરળ ભાજપમાં 88 વર્ષની ઉંમરે જોડાઈને પોટાની નવી રાજકીય કારકિર્દી શરૂ કરવા જઈ રહેલા દેશના મેટ્રોમેન ઇ શ્રીધરને કહ્યું છે કે જો પાર્ટી ઇચ્છશે તો તેઓ સીએમ પદ સંભાળવા તૈયાર છે.
મેટ્રોમેન શ્રીધરનની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા
મારું લક્ષ્ય કેરળમાં ભાજપને સત્તા પર લાવવાનું છે : શ્રીધરન
કેરળને દેવાની સ્થિતિથી બહાર કાઢીશું: ઇ શ્રીધરન
આવતા અઠવાડિયે ભાજપમાં જોડાઇને રાજકારણમાં પગલા ભરવા જઈ રહેલા ઇ શ્રીધરને શુક્રવારે કહ્યું કે તેમનું મુખ્ય લક્ષ્ય કેરળમાં પાર્ટીને સત્તામાં લાવવાનું છે અને તેઓ મુખ્યમંત્રી પદ સંભાળવા તૈયાર છે. તેમણે કહ્યું કે જો ભાજપ આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી જીતે છે, તો તેમનું ધ્યાન મોટા પાયે માળખાગત સુવિધા વિકસાવવા અને રાજ્યને દેવાની સ્થિતિથી મુક્ત કરવા માટેનું છે.
ઇ શ્રીધરનને મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે
ઇ. શ્રીધરન, જેમને મેટ્રો મેન તરીકે ઓળખવામાં આવે છે દેશના વિવિધ મેટ્રોમ પ્રોજેક્ટસમાં સલાહકારની ભૂમિકા આજેર પણ સંભાળી રહ્યા છે, મોટા માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સના વિકાસમાં જેમની કુશળતા સર્વવિદિત છે, તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે જો ભાજપ ઇચ્છે તો તે વિધાનસભાની ચૂંટણી લડશે અને જો પાર્ટી કહે છે કે તે મુખ્યમંત્રી પદ પણ સંભાળી શકે છે.
શ્રીધરનએ સ્પષ્ટ કર્યું કે તેમને રાજ્યપાલનો પદ સંભાળવામાં કોઈ જ રસ નથી. તેમણે કહ્યું કે આ એક સંપૂર્ણ બંધારણીય પદ છે અને તેમાં કોઈ શક્તિ નથી અને તેઓ આવા પદ પર રહીને રાજ્યમાં કોઈ સકારાત્મક યોગદાન આપી શકશે નહીં.
કેરળમાં માળખાગત વિકાસ કરવાનું લક્ષ્ય
તેમણે કહ્યું કે, "મારો મુખ્ય ઉદ્દેશ કેરળમાં ભાજપને સત્તા પર લાવવાનો છે." જો કેરળમાં ભાજપ ચૂંટણી જીતે છે, તો ત્યાં ત્રણથી ચાર ક્ષેત્ર હશે જેના પર અમે ધ્યાન કેન્દ્રિત કરવા માગીએ છીએ. આમાં રાજ્યમાં મોટા પાયે માળખાગત સુવિધાઓનો વિકાસ અને ઉદ્યોગો લાવવાનો સમાવેશ થાય છે. ''
કેરળના પોન્નાલીમાં રહેતા શ્રીધરને ફોન પર જણાવ્યું હતું કે દેવાની જાળમાં ફસાયેલા રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે ફાઇનાન્સ કમિશન પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું, 'આજે રાજ્ય દેવાગ્રસ્ત છે. આજે દરેક મલયાલી પર 1.2 લાખ રૂપિયાનું દેવું છે. આનો અર્થ એ છે કે આપણે નાદારી તરફ આગળ વધી રહ્યા છીએ અને સરકાર હજી પણ દેવું લઈ રહી છે. રાજ્યની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે અને અમે તેનો ઉપાય શોધીશું.
કોણ છે ઇ શ્રીધરન?
ભારતીય એન્જિનિયરિંગ સેવાના આ અધિકારીની ટ્રાન્સપોર્ટને સુગમ બનાવવાની દિશામાં આપેલા સિંહફાળાના લીધે વિશ્વભરમાં નામ થઈ ગયું છે, ભારતના ઘણા મેટ્રો પ્રોજેટ્સમાં તેમણે સેવા આપી છે, અને આજે પણ ઘણા પ્રોજેક્ટમાં સલાહકારની ભૂમિકા નિભાવી રહ્યા છે, તેઓ યુએનના સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટની ઉચ્ચસ્તરીય સલાહકાર સમૂહના સભ્ય પણ છે અને આ સાથે જ તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મવિભૂષણથી પણ સમ્માનિત કરાઇ ચૂક્યા છે, તો 2005માં ફ્રાંસની સરકારે શેવેલીયર લીજન દી ઓનરનું સન્માન પણ આપ્યું છે, સાથે જે 2003માં ટાઈમ દ્વારા તેમને એશિયાના હીરો તરીકે વર્ણવવામાં આવ્યા હતા.