આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી, દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે
હવામાન વિભાગની આગાહી
આજથી ગુજરાતમાં ઘટશે વરસાદનું જોર
1 સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના નહીં
રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. પણ આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
છેલ્લા 24 કલાકમાં માત્ર 51 તાલુકામાં વરસાદ નોંધાયો
કેટલાક શહેરોમાં છુટ્ટા-છવાયાં ઝાપટાં પડ્યા
40 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો
વડોદરાના ડભોઇમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ
મોડાસા અને મહુવામાં 2-2 ઇંચ વરસાદ
વઘઇ, રાજકોટ, અમદાવાદમાં 1-1 ઇંચ વરસાદ
ભારે વરસાદની સંભાવના નથી: હવામાન
જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
ગત 24 કલાકમાં 51 તાલુકામાં પડ્યો વરસાદ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો કેટલાક શહેરોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. તો રાજ્યના 40 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ગત 24 કલાક દરમિયાન વડોદરાના ડભોઇ, મોડાસા અને મહુવામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો અમદાવાદ, રાજકોટ અને વઘઈમાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો.
5 દિવસ સામાન્ય વરસાદ રહેશે
હાલ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદ રહી શકે છે. ગરમીના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો કંટાળી ગયા હતા. પરંતુ હાલ વરસાદ પડવાને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં પણ છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને અહિયા છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.
છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડશે
હવામાના વિભાગે જે આગાહી કરી છે તે આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી પણ અમદાવાદ, ગાંધીનગર તેમજ વડોદરા જેવા શહેરોમાં વરસાદ પડી શકે છે. જોકે આ વરસાદ છૂટા છવાયા વિસ્તારોમાં પડશે.
જગતના તાતમાં ખુશીનો માહોલ
બીજી તરફ વરસાદ પડવાને કારણે જગતનો તાત પણ ઘણો ખુશ છે. આ વખતે સમય કરતા થોડાક દિવસ વહેલા મેઘરાજાએ આગમન કર્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. તેના પાછળનું કારણ એ છે કે આ વર્ષે તાઉ તે ના કારણે ખેડૂતોને પહેલાથી ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી તે વરસાદ પ્રત્યે ઘણી આશા રાખીને બેઠા છે.
ગીર સોમનાથમાં રાવલ-મચ્છુન્દ્રી ડેમમાંથી પાણી છોડાયું
ગીર સોમનાથમાં રાવલ-મચ્છુન્દ્રી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મચ્છુન્દ્રી યોજના હેઠળ 21 ગામોને સિંચાઇનો લાભ મળશે. જ્યારે રાવલ ડેમ યોજના હેઠળ 18 ગામોને સિંચાઇનો લાભ મળશે...વાવાઝોડાના કારણે વીજપોલને ભારે નુકસાન થયું છે. વીજળી ન મળતા ખેડૂતોને કુવામાંથી પાણી સિંચવું પડે છે.ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત થશે.