ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો રોગ મેલેન્ડીઓસીસનો એક કેસ નોંધાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આ રોગ ખાસ કરીને ખેતરમાં કામ કરતા લોકોને અને ડાયાબીટિસના પેશન્ટને વધુ થાય છે. નવસારીના અમલસાડમાં નિવૃત શિક્ષકને આ રોગના જોવા મળ્યો હતો. આ કેસ ગુજરાતનો પ્રથમ કેસ હોવાની આ મુદ્દે ચર્ચાઓ ઉઠી છે. જેની સાથે જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે.
નવસારીના અમલસાડના નિવૃત શિક્ષકમાં ગુજરાતમાં પ્રથમ જ દેખાયેલા મેલીયોઇડિસિસ નામના બેક્ટેરીયલ રોગના લક્ષણો પોઝીટીવ આવ્યા બાદ ગુજરાતનો પ્રથક કિસ્સો હોવાની ચર્ચાઓ ઉઠી છે. જેની સાથે જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે અને અમલસાડ ગામે સર્વેની સર્વેની કામગીરી સાથે જ સંબંધિત વિભાગોને દિશા નિર્દેશ આપવાની કાર્યવાહી પણ આરંભી છે.
ખાનગી હોસ્પિટલમાં લીધી સારવાર
સુરતની ખાનગી હોસ્પિટલમાં ફેફસાંમાં પરૂની સારવાર કરાવવા દાખલ થયેલા નવસારીના અમલસાડ ગામના 58 વર્ષીય નિવૃત શિક્ષકને જીવલેણ બેક્ટેરીયલ રોગ મેલીયોઇડિસિસપોઝીટીવ આવતા ગુજરાતનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યુ. નવસારીના આધેડ દર્દીમાં મેલીયોઇડિસિસના લક્ષણો જણાતાં સુરતની સરકારી લેબ અને મનીપાલની ખાનગી લેબમાં તપાસ કરાવતા બંને લેબનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
રિપોર્ટ પહેલા શિક્ષકે આપી દેવાઈ હતી રજા
જોકે રીપોર્ટ આવે એ પૂર્વે શિક્ષકને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં છે અને હાલ સ્વસ્થ હોવાની માહિતી મળી હતી. મેલીયોઇડિસિસ નવસારીના દર્દીમાં પોઝીટીવ આવતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને અમલસાડ ગામે દર્દીના પરિવાર સહીત આસપાસના વિસ્તારોમાં સર્વે કરવા સાથે જ સફાઈ અભિયાન પણ છેડ્યું છે
વિયેટનામમાંથી વિશ્વમાં ફેલાયો હોવાની માહિતી મળી
મેલીયોઇડિસિસનો બેક્ટેરીયલ રોગ ખાસ કરીને વિયેટનામમાંથી વિશ્વમાં ફેલાયો હોવાની માહિતી મળી હતી. જેમાં ભારતમાં ગોવા, કર્નાટકા, તામીલનાડુ જેવા રાજ્યોમાં કુલ 500થી વધુ દર્દીઓ નોંધાયા હતા. ખેતરોમાં કામ કરતા લોકો અને ખાસ કરીને પગ ફાટ્યા હોય કે ડાયાબિટીસ, ફેફસાના રોગ, કીડનીનાં રોગ, કેન્સર જેવી બિમારી ધરાવનાર વ્યક્તિ દુષિત પાણી કે જમીનના સંપર્કમાં આવે તો મેલેન્ડીઓસીસનો રોગ થવાની સંભાવના વધી જાય છે.
ટીબી જેવા છે લક્ષણો
મેલીયોઇડિસિસનો રોગના લક્ષણોમાં કેટલાક ટીબી જેવા અને કેટલાક દક્ષિણ ગુજરાતમાં ખેત મજૂરોમાં જોવા મળતા લેપ્ટોસ્પાયરોસીસ રોગને મળતા આવે છે. સાથે જ સમાય પર સારવાર મળવાથી મેલેન્ડીઓસીસથી બચી શકાય છે.
ખેડૂતો મેલીયોઇડિસિસ નામના બેક્ટેરિયા વિશે અજાણ
જયારે માનવ માનવના સંપર્કમાં આવે, તો પણ આ રોગ ફેલાતો નથી. જિલ્લાના ખેડૂતો મેલીયોઇડિસિસ નામના બેક્ટેરિયા વિશે અજાણ છે. તેમજ ખેડૂતો આ અંગે માહિતી મેળવીને રોગની ચપેટ માં તેમના મજૂરો ન આવે તેની તકેદારી રાખી રહ્યા છે. અત્યાર સુધી ચોમાસાની સીઝનમાં લેપ્ટોસપાયરોસીસ રોગ થી ખેડૂતો પીડાઈ રહ્યા હતા પણ શિયાળાની ઋતુમાં આ નવા પ્રકારના રોગ થી ખેડૂતો સાવ અજાણ છે. ત્યારે આ રોગના લક્ષણો પણ લેપ્ટો જેવાં જ હોય તેની સમયસરની સારવાર જીવ બચાવી શકે છે.