ગુજરાતમાં કોરોના વાયરસે માઝા મુકી છે ત્યારે હવે 55 દિવસના લોકડાઉન બાદ છુટછાટ સાથે લોકડાઉન 4 શરૂ કરવામાં આવ્યુ છે એમાં ગામડા અને શહેરને જોડતી ST બસના પૈડા દોડાવવા માટે CM રૂપાણીએ કવાયત હાથ ધરી છે. આ માટેની બેઠકમાં નિર્ણય લેવાશે કે, ક્યાં કેટલી એસટી દોડાવવી.
લોકડાઉન 4.0ને લઈને CM રૂપાણીના નિવાસસ્થાને બેઠક
રાજ્યમાં ST બસ સેવા શરૂ કરવા બાબતે બેઠકમાં ચર્ચા
પરિવહન વિભાગના અધિકારી સાથે વીડિયો કોન્ફરેન્સથી બેઠક
લોકડાઉન 4.0ને લઈને CM રૂપાણીના નિવાસસ્થાને બેઠક યોજાઈ છે. રાજ્યમાં ST બસ સેવા શરૂ કરવા બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પરિવહન વિભાગના અધિકારી સાથે વીડિયો કોન્ફરેન્સથી બેઠક કરી છે. અમદાવાદ-સુરત શહેરમાં બસ ડેપો શરૂ કરવા નિર્ણય લેવાશે.
રાજ્યમાં કુલ ST બસના 12 હજાર રૂટ
રાજ્યના 4827 બસના રૂટ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ શકે છે. રાજ્યમાં કુલ ST બસના 12 હજાર રૂટ છે. મનપા વિસ્તારના ST ડેપોની કનેક્ટિવિટી અંગે ચર્ચા થશે . બસના મુખ્ય બસ ડેપો મનપા વિસ્તારમાં આવેલા છે.