પાકિસ્તાનમાં હિંદુ મંદિરમાં તોડફોડને લઈને મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. જેમા વિદેશ મંત્રાલય દ્વારા પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવામાં આવ્યા છે.
પાકિસ્તાનના હિદું મંદિરમાં તોડફોડ
હિંસાને લઈને ભારત સરકાર એકશન મોડમાં
વિદેશ મંત્રાલયે પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિંદુંઓના મંદિર હુમલો થવા મુદ્દે ભારત સરકાર દ્વારા તેનો કડક વિરોધ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં હિદું મંદિરમાં જે તોડફોડ થઈ છે, તે મુદ્દે પાકિસ્તાનના હાઈક કમિશન પ્રભારીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
હુમલાના બનાવો ચિંતાનો વિષય
વધુંમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાનના અમુક વિસ્તારોમાં હિંસા અને હુમલાનો બનાવો હજુ પણ બની રહ્યા છે જે ઘણો ચિંતાનો વિષય છે.
લાહોરથી 590 કિમી દૂર આવેલ છે મંદિર
પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં હિદું મંદિરમાં હુમલો કરવામાં આવ્યો. જ્યા અસમાજિક તત્વોએ મંદિર પર હુમલો કર્યો ત્યા આગ લગાવી સાથે મૂર્તિઓ પણ ખંડિત કરી હતી. આ સ્થળ લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે મંદિરમાં તોડફોડ થવાને કારણે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓમાં રોષનો માહોલ ફેલાયો છે.
લોકોને ભડકાવામાં આવ્યા હતા
એવું કહેવામાં આવી રહ્યું છે કે મદરેસામાં એક અપિવત્ર ઘટના ઘટી હતી. જેના કારણે અમુક લોકોના ભડકાવામાં આવ્યા અને ભીડે ભેગી થઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે પાકિસ્તાનના સાંસદે ટ્વીટર પર વીડિયો શેર કર્યો અને કહ્યું કે કહ્યું આગ અને તોડફોડને રોકવા માટે જલ્દીથી જલ્દી ઘટના સ્થળ પર પોલીસ પહોચે.
પાક સાસંદે ટ્વીટ કરીને માહિતી આપી
સાથેજ સાંસદે ટ્વીટ કરીને એવું પણ કહ્યું હતું કે મંદિર પર હુમલાને લઈને પરિસ્થિતી ઘણી ગંભીર હતી. ઉપરાંત તેમણે સ્થાનિક પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે. જેથી આ મામલે તેમણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માગ કરી છે.
પોલીસનો ભારે બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસે સમગ્ર મામલે એવું કહ્યું છે કે જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે. ત્યા અંદાજે 100 હિદું પરિવાર રહે છે. ત્યા પરિસ્થિતી વણસે નહી તે માટે ત્યા ભારે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. જોકે આ ઘટનાને લઈને હજું સુધી કોઈની પણ ધરપકડ કરવામાં નથી આવી જેથી ત્યાના હિદુંઓમાં રોષનો માહોલ છે.