સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે કે વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ માસ્કતો પહેરવુંજ પડશે, સાથેજ કહ્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો ઘણો મહત્વનો રહેશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યુ મહત્વનું નિવેદન
વેક્સિનના બંને ડોઝ પછી પણ માસ્કતો પહેરવુંજ પડશે
આવાનારા બે મહિના મહત્વના રહેશે: સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં હાલ કોરોનીની ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને એવું કહેવાામાં આવ્યું છે કે વેક્સિનેશન બાદ પણ માસ્ક લગાવવું જરૂરી છે. વેક્સિન કોરોના સામે લડવામાં મદદરૂપતો છે. પરંતુ તેનાથી સંક્રમણથી બતી જશો તેની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી.
સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો મહત્વનો રહેશે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાની બીજી લહેર હજુ ખતમ નથી થઈ. તેવામાં ટૂંક સમયમાં તહેવારો આવી રહ્યા છે. જેથી લોકોને અત્યારથી સાવચેત કર્યા છે. સાથેજ કહ્યુ કે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો ઘણો મહત્વનો રહેવાનો.
કેરળમાં સૌથી વધારે કેસ
સ્વાસ્થ્ય મંત્રાલ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યું કે 41 જિલ્લાઓમાં સંક્રમણનું પ્રમાણ હવે પહેલાની સરખામણીએ 10 ટકા કરતા પણ ઓછું છે. પરંતું કેરળમાં હજુ પણ દર્દીઓની સંખ્યા 1 લાખ ઉપર છે. જેથી ત્યાના લોકોને સાવચેતી વધારે રાખવા સલાહ આપવામાં આવી છે.
ચાર રાજ્યોમાં 10 હજારથી 1 લાખ જેટલા દર્દી
બીજી તરફ ચાર બીજા રાજ્યો એવા પણ છે કે જ્યા દસ હજારથી એક લાખ જેટલા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે. પરંતુ સૌથી વધુ એક્ટિવ કેસોની સંખ્યા કેરળમાં નોંધાઈ છે. જ્યા સંક્રમણ કાબૂમાં નથી આવી રહ્યું જેથી હવે તે ચિંતાનો વિષય બન્યો છે.ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્યમંત્રાલયે આવું નિવેદન ત્યારે આપ્યું છે કે જ્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે.