CAA વિરૂદ્દ લખનઉંમાં હિંસક પ્રદર્શન બાદ અમદાવાદમાં પણ હિંસક દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પથ્થરમારો થયો છે. સાંજના સમયે શહેરના કેટલાક વિસ્તારમાં પ્રદર્શન ચાલી રહ્યા હતા. પરંતુ પ્રદર્શનકારિઓએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારા બાદ પોલીસે લોકોને હટાવવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા.
અમદાવાદના શાહઆલમ, રખીયાલ, ચંડોલા તળાવ, શિવરંજની ઝાંસીની રાણી નજીક, ગોમતીપુર, લાલ દરવાજા સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ થયો. આ દરમિયાન કેટલીક જગ્યાએ વિરોધ હિંસામાં ફેરવાયો હતો. જેને લઇને પ્રદર્શનકારીઓ તરફથી પથ્થરમારો થયો તો પોલીસ તરફથી ટીયરગેસના છોડાયા અને લાઠીચાર્જ કરાયો હતો. ત્યારે આ દરમિયાન પોલીસ પર પથ્થરમારોમાં 20થી વધુ પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે.
કેટલાક પોલીસ જવાનોને ટોળાએ માર માર્યો હતો
આજે ભારત બંધના વિરોધમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરાયો હતો. શાહઆલમમાં પ્રદર્શનના નામે હિંસા પર ઉતરી આવેલા ટોળાએ તોડફોડ કરી હતી. તો કેટલાક અસામાજિક તત્વોએ પોલીસની ગાડીઓ પર તો હુમલો કર્યો. પરંતુ પોલીસને પણ લોહી-લૂહાણ કરી. ટોળાએ પોલીસવાનમાં ચડવા જતા પડી ગયેલા પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. ટોળાએ બેરહેમીથી પોલીસ જવાનને માર માર્યો હતો. પોલીસની ગાડીઓ બાજુમાંથી જતી રહી અને પોલીસને માર પડતો રહ્યો. ટોળાએ પોલીસ જવાનને એકબાજુ ખેંચીને બેરહેમીથી માર માર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં વર્ષો સુધી જુમ્માની નમાઝ બાદ પોલીસ તથા સુરક્ષાદળો પર સામાન્ય નાગરિકોની આડમાં તોફાની તત્વો મોઢે રૂમાલ બાંધીને પથ્થરમારો કર્યો હતો. એજ પ્રકારની મોડસ ઓપરેન્ડી મીર્ઝાપુર અને શાહઆલમમાં વાપરવામાં આવી છે.