દેશમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધી રહ્યું છે, અને દિન-પ્રતિદિન પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે, માટે રસીકરણ માટે એક નવી યોજના તૈયાર થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મોદી સરકારને મોકલાયો પ્રસ્તાવ
રસીની ડોર સ્ટેપ ડોઝિંગ માટે અમુક રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે
આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું, સરકારી નેટવર્કનો પહેલા ઉપયોગ કરવામાં આવશે
દેશમાં સ્પુટનિક-વીની રશિયન કોરોના રસીને મંજૂરી પછી લોકોને હવે ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના દેશમાં આકાર લઈ શકે છે, તેવુ સૂત્રોએ જણાવ્યું હતું. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ વેકસિનેશન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
લોકોના ઘરે ઘરે જઈને રસી આપવાનો છે પ્રસ્તાવ
દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક વી રસીની પરવાનગી સાથે, લોકોને હવે રસીકરણ માટે ઘરે ઘરે જવાનો પ્લાન છે.
કેન્દ્ર સરકાર આગામી અમુક મહિનાઓમાં મોટા ભાગની વસ્તીનું રસીકરણ કરવા માંગે છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટી વસ્તીને રસી આપવાની યોજના ધરાવે છે. આ માટે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના કહેવા પ્રમાણે, મંજૂરી મળતાંની સાથે જ લોકોને ઘરે ઘરે રસીકરણ મળે તેવી પણ અપેક્ષા છે.
ઘણી ફાર્મા કંપનીઓએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને દરખાસ્ત કરી છે, જેમાં આ કંપનીઓ લોકોના ઘરે જઈને ખાનગી કંપનીની રસી અને સરકારી રસી આપવાની વાત કરે છે. જો કે આ માટે આ કંપનીઓએ કેન્દ્ર સરકારને એક વ્યક્તિ દીઠ રૂ. 25 થી લઇને 37 રૂપિયા ચાર્જ વસૂલવાની લેવાની દરખાસ્ત રજૂ કરી છે.
હાલ કોઈ પણ કંપનીને આ યોજના માટે મંજૂરી મળી નથી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ કોઈ પણ કંપનીને આ યોજના માટે મંજૂરી મળી નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો લોકોને ઘરે ઘરે રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે, તો પ્રારંભિક તબક્કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેના સરકારી નેટવર્કના ઉપયોગ દ્વારા જ આ કામ કરશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રો કહે છે કે દેશની પુખ્ત વસ્તીનું આગામી કેટલાક મહિનાઓમાં સંપૂર્ણ રસીકરણ કરવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે જે પગલા ભરવા જોઈએ તે સરકાર ભરી રહી છે, અને તે માટે અન્ય તૈયારીઓ પણ કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, આગામી કેટલાક મહિનામાં, કેટલીક વધુ કોરોના રસીને ટૂંક સમયમાં દેશમાં લાગૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. દેશમાં જરૂરિયાત મુજબ અન્ય વય જૂથોના લોકોને રસી આપવાની યોજનાઓ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.