ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં આજે ગુરૂવારે ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગી ગઈ. જેમાં એક જ પરિવારના પાંચ લોકોએ જીવ ગુમાવ્યો.
મુરાદાબાદમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
આગમાં દાઝી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત
સરકારી ટીચરે પોતાની માં, 3 બાળક સહિત પોતે પણ જીવ ગુમાવ્યો
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં એક જ પરિવારના 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મુરાદાબાદના ડીએમ શૈલેન્દ્રસિંહે જણાવ્યું કે, 3 માળની બિલ્ડિંગમાં એક જ પરિવારના લોકો રહેતા હતા. આ અગ્નિકાંડમાં 5 લોકોના મૃત્યુ થયા છે અને 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી શૉર્ટ સર્કિટની વાત સામે આવી રહી છે.
આગ ગલશહીદ વિસ્તારના લંગડેની પુલિયા વિસ્તારમાં લાગી. આ આગમાં શમા પરવીન અને તેમના ત્રણ બાળકો અને તેમની માતાનું પણ મોત થઇ ગયું. શમા પરવીન જે સરકારી શાળામાં ટીચર હતા તેઓ ઉત્તરાખંડના રાનીખેતથી 2 ભત્રીજીના લગ્નમાં સામેલ થવા આવી હતી. ત્યાં માં કમર આરાના ઘરમાં રોકાઈ હતી. જીવ ગુમાવનારા લોકોમાં નાફિયા ઉંમર 7 વર્ષ ઇબાદ 3 વર્ષ, ઉમેમા 12 વર્ષ, શમા પરવિન 35 વર્ષ, કમર આરા 65 વર્ષનું મોત થઇ ગયું.
આગમાં દાઝેલા પરિવારને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ઇમરજન્સી મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, ત્યાં બે બાળકો અને બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમનું આગમાં દાઝી જવાથી મોત થયું હતું. બાકીની સારવાર ચાલી રહી છે.