મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પત્ર મેં લખ્યો નથી. પત્રમાં કરવામાં આવેલી સહી પણ મારી નથી પણ પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપ સાચા છે.'
મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી
આ પત્ર મેં લખ્યો નથી. પત્રમાં કરવામાં આવેલી સહી પણ મારી નથી
પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપ સાચા
થોડા દિવસ પહેલા મનસુખ વસાવાના લેટર પેડ સાથે નનામો પત્ર વાયરલ થયો હતો. આ પત્ર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ત્રાસી ઉચ્ચ કક્ષા સુધી નનામી પત્ર લખ્યો હોવાની શક્યતા ઓ જોવાઈ રહી હતી જેમાં સાંસદના લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પત્ર વાયરલ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ તપાસ કરી હતી. જે બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પત્ર મેં લખ્યો નથી. પત્રમાં કરવામાં આવેલી સહી પણ મારી નથી પણ પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપ સાચા છે.'
પત્રમાં લખેલા તમામ આક્ષેપો સાચા છે
મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આક્ષેપ પત્ર માં તમામ આક્ષેપો સાચા છે. કેટકાલ નેતાઓ અધિકારીઓ પાસે પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસની માંગ કરે છે અને એજ અધિકારીઓ પાસે હપ્તા લે છે. પત્ર માં તમામ પક્ષના નેતાઓ નામ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અધિકારીઓ પાસે ખંડણી હપ્તા અને ટકાવારી માંગવામાં આવે
નોંધનીય છે કે નર્મદા જિલ્લામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદ ને એક નનામી પત્ર મળ્યો છે જેમાં મોટા કોન્ટ્રાકટર અને અધિકારીઓ પાસે ખંડણી હપ્તા અને ટકાવારી માંગવામાં આવે છે અને આ સિલસિલો મોટા પાયે ચાલે છે. એ પત્રમાં કોઈ એક પક્ષના લોકો નહીં પરંતુ પત્ર માં તમામ પક્ષો ના ઉલ્લેખ છે જેમાં ભાજપ ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના પણ નામ છે.
બધા પૈસા ઉઘરાવશે તો વિકાસના કામ કેમ થશે ?
આ સાથે જ સાંસદે પણ સ્વીકાર્યું છે કે આ નનામી પત્ર માં જે લખ્યું છે એ તમામ આક્ષેપો સાચા છે હવે એટલી હદે આ ટકાવરી માંગે છે કે જેમાં અધિકારીઓ અને મોટા કોન્ટરેક્ટરો ત્રાસી ગયા છે કોઈ પણ વિકાસના કામો માં જો ટકાવારી અને ખંડણી આપવામાં આવે તો સ્વાભાવિક છે કે જેમાં સરકારના પૈસા નો દૂર ઉપયોગ થવાનો છે અને ભ્રષ્ટાચાર થાય, આમ તો કેટલાક લોકો અધિકારીઓ પાસે અને કોન્ટ્રાકટરો પાસે હપ્તા ઉઘરાવે છે અને સીધી રીતે ન આપે તો જેની અધિકારીઓ પાસે અને પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ માગે છે અને જે તપાસ માગતા પણ પાછા હપ્તા માગે છે. જો કે હવે આવા કટકીબાજ લોકો નો સમય પૂરો થવાનો છે.
મનસુખ વસાવાના નિવેદન મુદે અમિત ચાવડાની પ્રતિક્રિયા
મનસુખ વસાવાના નિવેદન મુદે અમિત ચાવડાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અમિત ચાવડા એ કહ્યું હતું કે હપ્તા ખોરીનું શાસન ચાલે છે અને આજે ગલીએ ગલીએ દારૂ મળે છે. તેનાથી અબજો રૂપિયા સરકાર સુધી પહોંચે છે. આ વાતની સાબિતી જોઈતી હોય તો ક્યાં અધિકારીઓની કેટલી મિલકત છે તેની તપાસ કરવી જોઈએ. ક્યાં નેતાઓ ગાડીઓ ક્યાંથી આવી તે મુદ્દે પણ તપાસ કરવી જોઈએ.' સાથે જ મનસુખ વસાવાનો સાથે આપતા એમને કહ્યું કે, 'પણ આ રીતે જો આવો અવાજ ઉઠાવશે તો કદાચ મનસુખ વસાવા ટીકીટ કપાઈ શકે છે.'