લાંબા સમયથી બિમારી સામે ઝઝુમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર સીએમ પદ છોડીને સારવાર માટે અમેરિકા જઈ શકે છે. જોકે પર્રિકર સીએમ પદ સ્થાયી નહીં પરંતુ અસ્થાઈ રૂપે છોડી શકે છે. પર્રિકરે આ ઈચ્છા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે પર્રિકર છેલ્લા 7 મહિનાથી અગ્નાશય સંબંધિત બિમારી સામે ઝઝુમી રહ્યા છે.
Goa Chief Minister Manohar Parrikar travel to Delhi today for health checkup at All India Institute of Medical Sciences. (file pic) pic.twitter.com/si3tmT3XSm
તાજેતરમાં જ 6 સપ્ટેમ્બરે તે અમેરિકાથી સારવાર બાદ પરત ફર્યા છે. જોકે પર્રિકર અત્યાર સુધી ત્રણ વખત અમેરિકા જઈ ચુક્યા છે. મળતી માહિતી મુજબ પર્રિકર સારવાર માટે ન્યૂયોર્ક જશે. તો બીજી તરફ ભાજપ પણ સતત મનોહર પર્રિકર સાથે સંપર્કમાં છે.
પર્રિકરના અસ્થાઈ રૂપે સીએમ પદ છોડવાની ઈચ્છા બાદ ભાજપ નેતૃત્વ પર્રિકરના સ્થાને નવું નામ શોધવામાં જોડાઈ ગયું છે. જેમાં રામકૃષ્ણ સુદીન ધવલીકરને અસ્થાયી રીતે સીએમનો ચાર્જ સોંપાઈ શકે છે. મહત્વનું છે કે હાલ ધવલીકર પર્રિકર કેબિનેટમાં મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે હજુ ધવલીકરના નામ પર અંતિમ નિર્ણય લેવાયો નથી.
પર્રિકર બની રહેશે ગોવાના મુખ્યમંત્રી : ભાજપના નેતા
આપને જણાવી દઇએ કે તાજેતરમાં આ મામલે ભાજપના એક નેતાઓ જણાવ્યું કે દવાખાનામાં દાખલ થયેલ ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રિકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે વાતચીત કરી હતી. જો કે ત્યારબાદ તેમણે જણાવેલ કે તેઓ ગોવાના મુખ્યપ્રધાન બની રહેશે.
નેતાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું કે આગામી સપ્તાહ સુધીમાં સરકાર એક વ્યવસ્થા નક્કી કરશે જેના દ્વારા પર્રિકર પરથી કામકાજનો બોજો હળવો કરવામાં આવશે. આ સાથે જ કેબિનેટના અન્ય 2 મંત્રી પણ બિમાર હોવાને કારણે તેમના સ્થળે અન્યની પણ ભલામણ કરવામાં આવી શકે છે.