પૂર્વ પ્રધાન મંત્રી મનમોહનસિંહે દેશના GDP દરમાં 4.5 ટકા વૃદ્ધિ દરને અપૂરતો અને ચિંતાજનક ગણાવ્યો. તેમણે PM નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે સમાજમાં વધી રહેલી ઉંડાણની આશંકાઓ દૂર કરવા અને દેશમાં ફરીથી એક સૌહાર્દપૂર્ણ અને આંતરિક ભરોસા વાળો સમાજ બનાવવાનો આગ્રહ કર્યો જેનાથી અર્થવ્યવસ્થાને વધુ ઝડપી બનાવી શકાય.
મનમોહન સિંહે GDP દરને લઇ ચિંતા વ્યક્ત કરી
PM મોદીને કરી અપીલ
અર્થવ્યવસ્થા પર એક રાષ્ટ્રીય સંમેલનમાં સંબોધન કરતા મનમોહનસિંહે કહ્યું કે પરસ્પર વિશ્વાસ આપણી સામાજીત લેણદેણનો આધાર છે અને તેનાથી આર્થિક વૃદ્ધિને મદદ મળે છે. પરંતુ હવે આપણા સમાજમાં વિશ્વાસ, આત્મવિશ્વાસનો તાણા-વાણા તૂટી ગયો છે. તેમણે કહ્યું, આપણો ઉંડો અવિશ્વાસ, ભય અને નિરાશાની ભાવનાના વિષાક્ત સંયોજનથી ગ્રસ્ત છે.
GDP માં થયો ઘટાડો
મંદીથી પસાર થઇ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો લાગ્યો છે. ચાલૂ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતના વિકાસ દરમાં મોટો ઘટાડો આવ્યો છે. હવે જીડીપીનો આંકડો ઘટીને 4.5 ટકાએ પહોંચી ગયો છે. આ સાત વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ચાલુ નાણાકીય વર્ષ ( 2019-20 ) ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપીનો દર 5 ટકા પર હતો. આ હિસાબે માત્ર 3 મહીનામાં જ જીડીપીના દરમાં 0.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
Worrisome state of society is fundamental reason behind precarious condition of economy: Manmohan Singh
ચાલુ નાણાકીય વર્ષ (2019-20)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ટરિંગ સેક્ટરમાં અંદાજિત 0.6 ટકાના દરથી આગળ વધ્યું. આ વર્ષ પહેલા આ અવધિમાં આ સેક્ટરમાં 12.1 ટકાના દરથી વધી ગયો હતો. આ સિવાય એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ સેક્ટરમાં 2 ટકાના દરથી વધારો દાખલ કરવામાં આવ્યો હતો.
ત્રિમાસિક ગાળામાં આ સેક્ટર 5.1 ટકાના દરથી આગળ વધ્યો
છેલ્લા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ સેક્ટર 5.1 ટકાના દરથી આગળ વધ્યો હતો. કન્ટ્રક્શન સેક્ટરની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં આ 5.7 ટકાના દરથી વધ્યો હતો. છેલ્લા નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં 9.6 ટકાથી ઝડપથી આવી હતી.