ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિપક્ષ પર કટાક્ષ રૂપે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે
જીતુ વાઘાણીના નિવેદન પર ગરમાયું રાજકારણ
મનિષ સિસોદીયાનું નિવેદન
`શિક્ષણમંત્રીએ ધમકી આપી'
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ તેમજ સરકાર વચ્ચે શિક્ષણને લઈ તુંતું મૈમૈ ચાલી રહી છે. ગત રોજ શિક્ષણમંત્રીના ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તે બીજા રાજ્યમાં જઈ શિક્ષણ લઈ શકે છે તેવા બફાટ નિવેદન બાદ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. કોંગ્રેસના નેતાઓના પ્રહાર બાદ હવે દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જીતુ વાઘાણીને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે શિક્ષણમંત્રી ગુજરાતના લોકોને ધમકી આપી રહ્યા છે.
જીતુ વાઘાણીએ આપ્યું હતું વિવાદિત નિવેદન
ગઈ કાલે બુધવારના રોજ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.વધુમાં શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.
कल गुजरात के शिक्षा मंत्री ने गुजरात के लोगों को धमकी दी “जिसे अच्छी शिक्षा चाहिए, वो दिल्ली चला जाए”
भाजपा 27 साल में भी अच्छी शिक्षा नहीं दे पायी।लोगों को गुजरात छोड़कर जाने की ज़रूरत नहीं। लोग गुजरात में “आप” की सरकार बनाएँगे और गुजरात में भी दिल्ली जैसी शानदार शिक्षा होगी https://t.co/7DOdGcIBlp
મનિષ સિસોદીયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર કર્યો પ્રહાર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના નિવેદન મુદ્દે રાજકારણ ગરમાયું છે. દિલ્લીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી છે. ભાજપ 27 વર્ષથી સારૂ શિક્ષણ નથી આપી શક્યું. લોકોને ગુજરાત છોડીને જવાની જરૂરિયાત નથી. ગુજરાતમાં AAP સરકાર બનાવશે. ગુજરાતમાં પણ દિલ્લીની માફક સારૂ શિક્ષણ આપવામાં આવશે.
મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને આપી હતી ઓપન ડિબેટની ચેલેન્જ
થોડા દિવસ અગાઉ દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.ગુજરાતના શિક્ષણમંત્રી જ્યારે ઈચ્છે તે સમયે આમને સામને ડિબેટ કરવા તૈયાર છે.
ડિબેટ ચેલેન્જનો જીતુ વાઘાણીએ આપ્યો હતો વળતો જવાબ
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પણ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું કે ગુજરાતમાં સારૂ શિક્ષણ ન હોત તો ભાજપ વિજેતા ના બન્યુ હોત. હીરોગીરી કરવા ગુજરાતનું મેદાન નથી અને ગોતવું સહેલું નથી.