કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ અધિકારીઓને કોવિડ-19 પર ફક્ત અધિકૃત અને ચકાસાયેલ માહિતી શેર કરવા અપીલ કરી
કોરોનાની નવી લહેરની સંભાવના વચ્ચે માંડવીયાનું મોટું નિવેદન
કોરોનાને લઈ લોકો ખૂબ જ ભય અને મૂંઝવણમાં: માંડવીયા
આવી સ્થિતિમાં લોકોને ઇન્ફોડેમિક્સથી બચાવવું પણ મહત્વપૂર્ણ: માંડવીયા
અધિકારીઓને કોવિડ-19 પર ફક્ત અધિકૃત-ચકાસાયેલ માહિતી શેર કરવા અપીલ
દેશમાં કોરોનાની નવી લહેરની સંભાવના વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈ લોકો ખૂબ જ ભય અને મૂંઝવણમાં છે. આવી સ્થિતિમાં લોકોને ઇન્ફોડેમિક્સથી બચાવવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે અધિકારીઓને કોવિડ-19 પર ફક્ત અધિકૃત અને ચકાસાયેલ માહિતી શેર કરવા અપીલ કરી છે. આ સાથે ડોકટરોને રોગના વિવિધ પાસાઓ અને તેના નિવારણ અને સંચાલન અંગે શિક્ષિત કરવા અને લોકોને જાગૃત કરવા પણ વિનંતી કરી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ 100 જેટલા તબીબો સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી જણાવ્યું હતું કે, એલર્ટ પર રહેવાની સાથે માસ્ક પહેરવા ઉપરાંત કોવિડ-19 ની ગાઈડલાઇન અંગે પણ ચર્ચા કરી હતી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ચેપી રોગ કોરોનાની બચવા માટે માત્ર અધિકૃત અને વેરીફાઇડ માહિતી શેર કરવી પણ એટલી જ જરૂરી છે.
આરોગ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, તેમણે ડોકટરોને કોવિડ-19 વિશેની અધિકૃત માહિતી ફેલાવવાનું માહિતી ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તબીબો આ લડતમાં સમર્પિત રહીને કામ ચાલુ રાખશે, જેમ કે તેઓ અત્યાર સુધી કામ કરી રહ્યા છે.
મનસુખ માંડવીયાએ તેમણે અનુમાન ટાળવા અને ફક્ત સચોટ માહિતી શેર કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, અપના નાગરિકો સલાહ માટે અપના કોવિડ યોધ્ધાઓ તરફ ધ્યાન આપે છે અને વૈશ્વિક સ્તરે કોવિડ-19 કેસોમાં તાજેતરમાં ઉછાળાને કારણે, તે અપના નિષ્ણાતોની જવાબદારી બની જાય છે કે તે યોગ્ય માહિતી શેર કરે જેથી અફવાઓ અને ગેરસમજોના બદલામાં ભયને અટકાવી શકાય.