રાજકોટના જેતપુરના મંડલીકપુર ગામ વચ્ચે પાણીની ટાંકી આવેલી છે. આ ગામના વચ્ચો વચ્ચ પાણીની ટાંકી સમગ્ર ગામને પાણી પુરુ પાડે છે.પરંતુ આ ટાંકી અંદાજિત 30 વર્ષ કરતા જૂની છે અને ગામના લોકો આ ટાંકી જર્જરીત થઈ હોવાની અનેક રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમનો આરોપ છે કે પાણીની ટાંકી ગમે ત્યારે પડે તેવી ભયજનક છે પરંતુ તંત્ર તેમની વાત સાભંળી રહી નથી.
મંડલીકપુર ગામના લોકોનો ભય
30 વર્ષ જૂનો ટાંકો જર્જરીત
ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે
ટાંકી પરના સિમેન્ટના પોપડા નીચે પડી રહ્યા છે જેથી ગમે ત્યારે અવરજવર કરતા લોકો સતત ભયમાં રહે છે. આ ટાંકી બહુ વિશાળ છે જો તે ધરાશાયી થશે તો મોટી દુર્ઘટના બનશે. પરંતુ અનેક રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી કરાઈ નથી.
સૌથી મોટી સમસ્યાએ છે કે આ ટાંકીને અડીને ગામની પ્રાથમિક શાળા આવી છે અને તેમા ગામના અને આસપાસના બાળકો અભ્યાસ કરવા આવે છે. જો આ મામલે વહેલી તકે કોઈ સમાધાન નહી આવે તો ગામના લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.