મહારાજગંજ જિલ્લામાં સરકારી ગ્રાન્ટ માટે મહિલાએ એવું કંઈ કરી નાખ્યું કે જાણીને આંખો પહોંળી થઈ જશે.
પત્નીની હાજરીમાં પતિના લગ્ન
સરકારી ગ્રાન્ટ માટે કરી આવી હરકત
પરણિત સાળી સાથે કર્યા લગ્ન
યુપીના મહરાજગંજ જિલ્લામાં મુખ્યમંત્રી સામુહિક વિવાહ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરે જિલ્લા મુખ્યાલયના મહાલક્ષ્મી લોનમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકડ ચૌધરીની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયેલ 223 જોડીઓમાં અમુક એવા છે જે પહેલાથી જ પરણિત છે. તેમાંથી ઘણા લોકોના તો બાળકો પણ છે. આ બધુ સરકારી ગ્રાન્ટ માટે કરવામાં આવ્યું છે.
ઘણા કપલ પોતાના લગ્નને છુપાવીને ઓફિસરો સાથે મળીને લગ્ન મંડપમાં આવીને બેસી ગયા. તેમણે પ્રશાસન પાસેથી શગુનના પૈસા પણ લીધા. પરંતુ હવે મામલો પ્રકાશમાં આવ્યા બાદ અધિકારી અને સમુહ વિવાહ યોજનાને પાત્રતાની તપાસ કરવાનાર કર્મચારીઓના હોશ ઉડી ગયા છે.
શું છે આ મામલો?
હકીકતે 13 સપ્ટેમ્બરે શાસનના આદેશ પર મુખ્યમંત્રી સામુહ વિવાહ યોજનાનું આયોજન જિલ્લા ઓફિસના મહાલક્ષ્મી લોનમાં કરવામાં આવ્યું હતું. લોનને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં 233 કપલનું રજીસ્ટ્રેશન અને સત્યાપન બાગ તેમના ધર્મ અને રીતિ રિવાજથી સામુહ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
વર-વધુને આશીર્વાદ આપવા માટે કાર્યક્રમ સ્થળ પર કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરી, જિલ્લા અધિકારી ડો ઉજ્જવલ કુમાર, સીડીઓ ગૌરવ સિંહ સોગરવાલ સહિત જનપ્રતિનિધિ આવ્યા હાતા. લગ્ન બાદ શાસનનાદેશ હેઠળ વર-વધુને નક્કી કરેલ ગ્રાન્ટ અને ઉપહાર પ્રસાશનની તરફથી ભેટમાં આવવામાં આવ્યા હતા.
હકીકત સામે આવ્યા બાદ મચ્યો હડકંપ
આ વચ્ચે સમુહ વિવાહમાં શામેલ એક જોડીના નકલી લગ્નની સચ્ચાઈ સામે આવી. જણાવવામાં આવી રહ્યું છે કે કોલ્હુઈ ક્ષેત્રના બડિહારી નિવાસી અમરનાથ ચૌધરી પુત્ર રામ નાથ ચૌધરીએ પોતાની પરણિત સાળી સાથે સરકારી ગ્રાન્ટ માટે લગ્ન કરી લીધા. તે પોતે પણ પરણિત છે અને તેમના બાળકો પણ છે.
સરકારી ગ્રાન્ટ માટે સાળી સાથે કર્યા લગ્ન
મોટી વાત એ છે કે સરકારી ગ્રાન્ટ માટે આ નકલી લગ્નમાં દુલ્હાની પત્ની પણ હાજર હતી. સરકારી ગ્રાન્ટની લાલચમાં તેણે પોતાની બહેન સાથે જ તેના પતિના લગ્ન કરાવી દીધી. જોકે મામલો પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી ગયો. જવાબદાર અધિકારી આ મામલામાં બોલવાથી ઈનકાર કરી રહ્યા છે.
ગ્રામ પ્રધાન અને સીડીઓનું નિવેદન
આ મામલા પર ગ્રામ પ્રધાન મુરલીધર ચૌધરીએ જણાવ્યું કે મને બાદમાં જાણકારી થઈ. પહેલા મામલાની જાણ થઈ હોત તો હું આમ ન થવા દેત. બાળકોના પિતા જે પત્નીની સાથે રહી રહ્યો છે તે ફક્ત સરકારી ગ્રાન્ટ માટે પોતાની પરણિત સાળી સાથે લગ્ન કઈ રીતે કરી શકે. આ ખૂબ જ ખોટુ છે. ત્યાં જ સીડીઓ ગૌરવ સિંહ સોગરવાળાનું કહેવું છે કે આ મામલાની તેમને જાણ નથી. તેની તપાસ કરાવવામાં આવશે. ત્યાર બાદ જ સ્પષ્ટ રૂપથી કંઈ કહેવામાં આવશે.