FOLLOW US
ભૂજના આદિપુરમાં આશાભર્યા યુવાને આપઘાત વહોર્યો છે. આ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ છે કે, બીજુ કોઈ કારણ તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે નથી.
ભૂજના આદિપુર ડીસી-5 વિસ્તારમાં યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢળી વડે ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટના નોંધાઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બનાવ ગઈ કાલે બપોરે એકથી દોઢ વચ્ચે બન્યો હતો. આદિપુરમાં રહેતા દિવ્યાંશુ રાજુભાઇ મલ્હોત્રાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધુ હતું. મૃતકને રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ આ બાબતે પોલીસ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.