પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (NPR) ને લઇને પૂર્વોત્તરના રાજ્યોની સાથે બિન-બીજેપી શાસિત રાજ્યોને ખાસ અપીલ કરી છે. તેઓએ સોમવારે કહ્યું કે આપે આ કાયદાને પોતાના રાજ્યમાં લાગૂ કરતા પહેલા સારી રીતે વાંચવો જોઇએ. ત્યારબાદ જ તેને લાગુ કરવાને લઇને કોઇ નિષ્કર્ષ પર પહોંચવું જોઇએ.
મમતા બેનર્જીએ કહ્યું, એનપીઆર (NPR) એક ખતરનાક ખેલ છે
થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ મમતા બેનર્જીએ મુલાકાત કરી હતી
તેઓએ કહ્યું કે, એનપીઆર (NPR) એક ખતરનાક ખેલ છે અને આ તે એનઆરસી (NRC) અને સીએએ (CAA) સાથે પૂર્ણ રીતે સંબંધ ધરાવે છે. રાજ્યોએ તેને પાછો લેવા માટે પ્રસ્તાવ પાસ કરવો જોઇએ. મમતા બેનર્જીએ આ વાતો NPRને લઇને રાજ્યમાં આયોજિત એક બેઠકમાં કહી છે.
નોંધનીય છે કે, કેટલાક દિવસો પહેલા મમતા બેનર્જીએ બુધવારે કહ્યું હતું કે તેમનું રાજ્ય 17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની બેઠકમાં ભાગ નહીં લે.
તેઓએ પ.બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેને પડકાર આપ્યો હતો કે તેઓ કેન્દ્ર સરકારના ઇશારાઓ પર ન ચાલવા પર રાજ્ય સરકારને 'બર્ખાસ્ત' કરી દે. NPR, સંશોધિત નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)નો સતત વિરોધ કરી રહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પ.બંગાળ સરકારે પહેલા જ એનપીઆર (NPR) ને અપડેટ કરવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
આ પહેલા પ.બંગાળના પ્રવાસે આવેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે સીએમ મમતા બેનર્જીએ મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઇ હતી કે જ્યારે શહેરભરમાં સંશોધિત નાગરિકતા કાયદાને લઇને વિરોધ પ્રદર્શન જારી છે. પીએમ સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મેં પીએમ મોદીને જણાવ્યું હતું કે, અમે CAA, NRC, અને એનપીઆરનો વિરોધ કરીએ છીએ. મેં તેમને સીએએ અને એનઆરસી પાછો લેવા માટે અનુરોધ કર્યો છે.