પશ્ચિમ બંગાળના નંદિગ્રામમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ઘાયલ થયા બાદ રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની ગઈ છે.
પશ્ચિમ બંગાળના નેતાનું વિવાદિત નિવેદન
ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે ચૂંટણી પંચ : TMC નેતા
ભાજપે ઘટનાની સંપૂર્ણ તપાસની કરી માંગણી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક કાર્યક્રમમાં ઘાયલ થઈ ગયા હતા અને તેમના શરીર પર થયેલી વિવિધ ઇજાઓને લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ હવે આ જ બાબતે ચૂંટણીને લઈને રાજકીય લડાઈ વધુ તીવ્ર બની ગઈ છે.
TMC નેતાએ આપ્યું વિવાદિત નિવેદન
તૃણમૂલ કોંગ્રેસના નેતા મદન મિત્રાએ આ મામલે એક વિવાદિત નિવેદન આપ્યું હતું કે આ 'નિક્કર'ની તાલીમ લેનારા સુશિક્ષિત લોકો દ્વારા કરવામાં આવ્યું છે. જો આ પ્રકારનો બનાવ બીજા કોઈ રાજ્યમાં બન્યો હોત, તો માની સમજી લો કે તે બીજો ગોધરા કાંડ બની ગયો હોત. તે હત્યાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે એક ઉમેદવાર તરીકે હું આક્ષેપો કરી રહ્યો છું પરંતુ પોલીસ અમારી વાત સાંભળી રહી નથી. અહીં ગુંડાગીરી ચાલી રહી છે. શું જનતાને ખબર છે કે આ બધું કોણ કરે છે? જેની પાસે તાકાત છે.
TMC જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું - આ ઘટના ડીજીપીની હટાવ્યાના બીજા જ દિવસની
TMCના જનરલ સેક્રેટરી પાર્થ ચેટર્જીએ કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હતી, પરંતુ ચૂંટણીની જાહેરાત પછી કાયદો અને વ્યવસ્થા ચૂંટણી પંચની જવાબદારી બની હતી.
તેમણે કહ્યું કે ચૂંટણી પંચે રાજ્ય પોલીસના ડીજીપીને હટાવ્યા અને બીજા જ દિવસે મુખ્યમંત્રી પર હુમલો થયો. ચૂંટણી પંચે મંગળવારે વીરેન્દ્રને પશ્ચિમ બંગાળના પોલીસ મહાનિર્દેશકના પદ પરથી તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો હતો અને પી નીરજયનને તેમની જગ્યાએ નિમણૂંક કરી હતી.
ચેટર્જીએ દાવો કર્યો હતો કે ભાજપના વરિષ્ઠ નેતાઓના અનેક નિવેદનોથી પૂરતા સંકેત મળી રહ્યા છે કે બેનર્જી પર હુમલો થઈ શકે છે અને તે જાણ હોવા છતાં પણ મુખ્ય પ્રધાનને પૂરતી સુરક્ષા આપવામાં આવી નહોતી.તેમણે કહ્યું કે જ્યારે ચૂંટણી પંચ વહીવટનો હવાલો સંભાળે છે, ત્યારે મમતા બેનર્જી પરના હુમલાની જવાબદારી કોણ લેશે? ચૂંટણી પંચે હવે આ ઘટનાની જવાબદારી લેવાની રહેશે. ચેટર્જીએ કહ્યું કે તેઓ ભાજપના નેતાઓના આદેશ પર કામ કરી રહ્યા છે. ભાજપે ECને એક અધિકારીને હટાવવા કહ્યું હતું અને તેઓ તેને હટાવ્યા છે.
ममता बनर्जी को चोट ज़रूर लगी है, पर चोट उन्हें अपनी गलती से लगी है। इतने पुलिस वाले सुरक्षा में थे फिर किसने हमला किया? हमला किया तो अपराधी पकड़ा क्यों नहीं गया? मैं मांग करता हूं कि सैटेलाइट से देखा जाए कि ममता बनर्जी को किसने धक्का मारा: पश्चिम बंगाल BJP उपाध्यक्ष अर्जुन सिंह pic.twitter.com/iq5yiHA76S
ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી અધિકારીઓને મળ્યા બાદ આ ઘટનાની સઘન તપાસની માંગણી કરી હતી. ભાજપના નેતા સબ્યસાચી દત્તાએ EC સાથેની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે આપણા મુખ્ય પ્રધાન જલ્દી સ્વસ્થ થાય. તેણે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોએ આ મામલે દબાણ કર્યું હતું, પણ અમે માંગણી કરીએ છીએ કે આ મામલાની વ્યવસ્થિત તપાસ કરવામાં આવે, કેમ કે આ વખતે ચૂંટણી પંચની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જો કે આ સાથે જ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે માંગણી એક વિચિત્ર નિવેદન આપતા કહ્યું હતું કે સેટેલાઈટથી તપાસ કરવામાં આવે કે મમતા બેનરજીને ધક્કો કોણે માર્યો હતો.
હરિયાણાના ગૃહમંત્રીએ કહ્યું- મમતા રાકેશ ટિકૈત બનવા માંગે છે
હરિયાણાના ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અનિલ વિજે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે મમતા બેનર્જી રાકેશ ટિકૈત બનવા માંગે છે. તે ઇચ્છે છે કે થોડા આંસુઓ વહાવીને લોકોનું સમર્થન મેળવે, પરંતુ મમતા બેનર્જીનું હવે બંગાળમાં સમય પૂરો થઈ ગયો છે, તેમને એવી કોઈ ઇજા નથી થઈ, જેનો આ તેઓ આટલોન પ્રચાર કરવા માંગે છે.