પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં જે નેતાઓ સામેલ નથી થયા, તેમા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મુખ્ય રૂપે સામેલ છે.
પહેલા એમણે સમારોહમાં સામેલ થવા હામી ભરી હતી. પરંતુ જ્યારે બીજેપીએ તેમના પર રાજનીતિક હિંસાનો આરોપ લગાવ્યો તો સમારોહમાં આવવાથી ના પાડી દીધી. શપથ સમારોહમાં વચ્ચે મમતા બેનર્જી પ.બંગાળમાં ધરણા પર બેઠેલા જોવા મળ્યા.
પ.બંગાળમાં ધરણા પર બેસેલા મમતા બેનર્જીએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું, 'આપ આપની સંસ્કૃતિથી કાર્ય કરો, અમને અમારી સંસ્કૃતિથી કાર્ય કરવા દો'. એમણે આરોપ લગાવ્યો કે, 'બીજેપીના ગુંડા તેમની પાર્ટીના લોકોને ડરાવી-ધમકાવી રહ્યા છે'.
આપને જણાવીએ કે, પ.બંગાળની 42 લોકસભા બેઠકમાંથી આ વખતે બીજેપીએ 18 બેઠક પર જીત મેળવી છે. જ્યારે ટીએમસીએ 22 બેઠક મેળવી છે. ટીએમસીને 43.7 ટકા વોટ મળ્યા છે જ્યારે બીજેપીને 40.6 ટકા વોટ મળ્યા છે. બીજેપીના વોટની ટકાવારી ટીએમસીના વોટની ટકાવારીથી વધારે રહી છે. તેથી ટીએમસીના ઘણા નેતા બીજેપીમાં સામેલ થઇ રહ્યા છે.