પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ દિલ્હી પ્રવાસ પર છે
CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા
હવે દર બે મહિને તેઓ દિલ્હી જશે
CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા
બેનર્જીએ મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ દિલ્હી પ્રવાસ પર છે, આ પ્રવાસમાં તેમણે PM મોદી, કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે સાથે વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી છે. હવે તેમણે એલાન કર્યું છે કે તેઓ દર બે મહિને દિલ્હી આવશે. માનવામાં આવે છે કે આ એલાન પાછળ તેમનું મિશન 2024 છે.
હવે દર બે મહિને તેઓ દિલ્હી જશે
મમતાએ આજે કહ્યું કે "મે આજે શરદ પવાર સાથે વાતચીત કરી અને મારી આ યાત્રા એકદમ સફળ રહી. અમે રાજનૈતિક ઉદ્દેશ માટે મળ્યા હતા. લોકતંત્ર જીવતું રહેવું જોઈએ. મારુ સ્લોગન છે કે લોકતંત્ર બચાઓ, દેશ બચાઓ. અમે ખેડૂતોના મુદ્દાનું સમર્થન કરીએ છીએ. હવે હું દર બે મહિને દિલ્હી આવીશ. આ બધા વચ્ચે એ વાત ઘણી ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતાઓ સાથે મમતા બેનર્જીની મુલાકાતને થર્ડ ફ્રન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ દિલ્હી પ્રવાસમાં સૌથી બધુ હેરાન કરતી વાત એ છે કે તે લોકસભા કે રાજ્યસભાના સભ્ય નથી. એવામાં મમતા બેનર્જીની મહત્વકાંક્ષાઓ સૌને નજર આવતી જણાય છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે 2024 માં થનાર ચૂંટણીમાં તે વિપક્ષનું નેતૃત્વ પણ કરી શકે છે.
CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી સોમવારે સાંજે PM મોદીને મળવા પહોંચ્યા. CM મમતા સાથે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતા કમલનાથ સાથે મુલાકાત કરી. કમલનાથ, મમતા બેનર્જી સાથે મુલાકાત કરવા માટે સાઉથ એવન્યુમાં તેમના ઘરે પહોંચ્યા. મમતા બેનર્જીની કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. PM મોદી સાથે મુલાકાત કરવા માટે લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. PM મોદી સાથે મુલાકાત પછી CM મમતાએ પ્રેસ કોનફેરેન્સ પણ કરી હતી.