મલયાલમ ફિલ્મના દિગ્ગજ અભિનેતા KTS પદન્નિયલનું ગુરુવાર 22 જુલાઇએ મૃત્યુ થયું. કેટીએસ 88 વર્ષના હતા. તેઓ કોમેડી ફિલ્મ અને હાસ્ય માટે ખ્યાતિ ધરાવતા હતા. કેટીએસનું નિધન 22 જુલાઇ સવારે કોચ્ચીના ઇન્દિરા ગાંધી કોઓપરેટિવ દવાખાનામાં થયું. તેઓ વધતી ઉમરના કારણે બિમારીઓ સામે લડી રહ્યા હતા.
60 કરતા વધુ ફિલ્મોમાં કર્યું હતુ કામ
હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને કાર્ડિયક કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંજ તેમણે સવારના 6 કલાક અને 4 મિનિટે અંતિમ શ્વાસ લીધા. લગભગ 20 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં તેમણે 60 કરતાં વધુ ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મો સાથે તેમણે ટીવી-શોમાં પણ કામ કર્યું હતું.
90ના દશકામાં સક્રિય ભૂમિકા ભજવી
તેમના મૃત્યુથી મલયાલમ ફિલ્મ જગતને મોટી ખોટ પડી છે. કેરળના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન અને શિક્ષણ મંત્રી શિવન કટ્ટીએ કેટીએસના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. કેટીએસે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થિએટર આર્ટિસ્ટ તરીકે કરી હતી. 90ના દશકામાં સક્રિય ભૂમિકા ભજવી અને તેમની પ્રથમ "ફિલ્મ બાવા ચેટન બાવા" હતી. તેમના કોમેડી કિરદારે મલયાલમ ફિલ્મી રસિયોના દિલ જીત્યા હતા. તેમના નિધનના કારણે તેમના ફેન્સમાં શોકનો માહોલ છે.