જો તમને વારંવાર પેટમાં ગેસ બનવો, રોજ પેટ સાફ ન થવું, કબજિયાત અને પેટમાં ભારેપણું લાગવાની સમસ્યા રહે છે તો તમારું પાચનક્રિયા ખરાબ છે. પાચન ખરાબ હોવાથી આ પરેશાનીઓ થાય છે. લાંબા સમય સુધી પાચનતંત્ર ખરાબ રહેવાથી ઘણી બીમારીઓ પર ઘર કરવા લાગે છે. તો આવી સમસ્યામાં દવાઓ ખાધા કરતાં ઘરમાં બનાવેલું દેશી ચૂર્ણ ખાઓ અને ખવડાવો. તમને પાચનની કોઈ જ તકલીફ ફરી હેરાન નહીં કરે. તો ચાલો જાણી લો.
પાચન સંબંધી સમસ્યાઓને ખતમ કરી દેશે આ ચૂર્ણ
સામગ્રી
10 ગ્રામ સૂંઠ
40 ગ્રામ આખા ધાણા
20 ગ્રામ સંચળ
20 ગ્રામ સિંધાલૂણ મીઠું
100 ગ્રામ સાકર
20 ગ્રામ આમળા પાઉડર
15 ગ્રામ જીરું
15 ગ્રામ અજમો
આ રીતે બનાવો
સૌથી પહેલાં જીરું, અજમો અને ધાણાં ને અલગ-અલગ શેકી લો. પછી આ ત્રણેયને સાથે પીસી લો. પછી સૂંઠ અને આમળા જો આખા હોય તો પીસી લો. સાકર પણ પીસી લો. હવે બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લો. તમારું ચૂર્ણ તૈયાર છે. આ ચૂર્ણને કાંચ અથવા એર ટાઈટ બરણીમાં ભરી લો.
આ રીતે કરો સેવન
પાચનતંત્રને ઠીક રાખવા માટે બનાવેલો આ ચૂર્ણનું સેવન તમે પેટની કોઈપણ સમસ્યા માટે કરી શકો છો. જો તમને ગેસ અને કબજિયાત હોય તો રોજ ખાવાના 15-20 મિનિટ બાદ એક ચમચી નવશેકા પાણી સાથે લઈ લો. પાચનતંત્ર એક્ટિવ કરવા અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવા માટે પણ આ મદદ કરશે.
રોગોથી લડવાની તાકાત વધશે
આ ચૂર્ણમાં ભરપૂર હર્બ્સ હોય છે. જે તમારા માટે બહુ જ ફાયદાકારક છે. આ ચૂર્ણના નિયમિત સેવનથી રોગો સામે લડવાની તાકાત પણ વધે છે. આવું મેટાબોલિઝ્મ બૂસ્ટ થવાને કારણે પણ થાય છે. આ ચૂર્ણ બોડીમાં એન્ટીબોડીના પ્રોડક્શનને પણ વધારે છે.