આપણા દેશમાં મકર સંક્રાતિનું ખાસ મહત્વ છે. હિંદુ શાસ્ત્રોમાં પણ મકર સંક્રાતિના પર્વને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મકર સંક્રાંતિને ઠંડીના સિઝનનો અંત પણ ગણવામાં આવે છે. આ દિવસે સુર્ય ધન રાશિમાં છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાતિ બાદ દિવસ લાંબો રહે છે.
આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ નહીં 15 તારીખે ઉજવાશે. 14 જાન્યુઆરીએ મોડી રાત્રે સૂર્ય રાશિ બદલશે જેને લઇને એક દિવસ બાદ એટલે કે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવાશે. આ દિવસ પર અમૃત સિદ્ધિ સર્વાર્થ સિદ્ધિ સિદ્ઘિ અને રવિ યોગ રહેશે. આ ત્રણેય યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા-પાઠ કરવાથી શુભ ફળ મળે છે.
મકર સંક્રાતિ પર દાનનું વિશેષ મહત્વ છે. ત્યારે જો તમે પણ ઇચ્છો છો કે આ વર્ષ તમારુ સારૂ જાય અને ઘરમાં સુખ-શાંત-સમુદ્ઘિ વધે તો આ સિવાય ધનલાભ માટે આ પાંચ કામ કરો.
- મકર સંક્રાતિના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરતા સમયે તમામ પવિત્ર તીર્થો અને નદીઓના નામનો જાપ કરો આમ કરવાથી ઘર પર તીર્થ સ્નાન કરવાનું પુણ્ય મળે છે.
- વહેલી સવારે ઉઠી સ્નાન કર્યા પછી તાંબાના લોટોમાં લાલ કૂલ અને ચોખા નાખી સૂર્ય દેવને જળ અર્પણ કરો અને સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમોનો જાપ 108 વખત કરો.
- સૂર્ય દેવને જળ અર્પણ કર્યા બાદ ઘર પર તુલસી ક્યારો હોય ત્યાં જળ અર્પણ કરી તેનો જાપ કરો અને બાદમાં 7 વખત પરિક્રમા કરો. જો ઘર પર તુલસી ક્યારો ન હોય તો મંદિરે જઇને પણ તમે આ કાર્ય કરી શકો છો.
- મકર સંક્રાંતિ પર કોઇ પણ મંદિરે જઇ ગોળ અને તલનું દાન કરો. ભગવાનને ગોળ-તલ લાડુનો ભોગ ધરાવો અને પ્રસાદને ભક્તોને આપો.
- મકર સંક્રાંતિના પર્વ પર દાનની સાથે પૂજા-પાઠનું પણ એટલું મહત્વ હોય છે. જેથી આ દિવસે શિવમંદિરે જઇ શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પણ કરો અને ઓમ સાંબ સદા શિવાય નમ: મંત્રનો જાપ કરો.