સુશાંત સિંહ રાજપૂતના અવસાને સમગ્ર બોલિવૂડને હચમચાવીને રાખી દીધુ છે. તે નેપોટીઝમનો શિકાર બન્યો જેના કારણે તેને ડિપ્રેશને ઘેરી લીધો અને બાદમાં તેણે અંતિમ પગલુ ભર્યુ અને મોતને વ્હાલુ કરી લીધુ. આ ઘટના બાદ બોલિવૂડમાંથી ઘણા સિતારા સામે આવ્યા અને કહ્યું કે, તે લોકો પણ ડિપ્રેશન અને નેપોટીઝમનો શિકાર બન્યા છે. યુટ્યુબથી પોતાની ઓળખાણ બનાવનાર મૈથિલી ઠાકુરે મોટો નિર્ણય લીધો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો.
યુટ્યુબર મૈથિલીએ લીધો મોટો નિર્ણય
બોલિવૂડના ગીતોનો કર્યો બહિષ્કાર
માત્ર ફોક સંગીતના બનાવશે વીડિયો
નાની ઉંમરે ઘરે ઘરે જાણીતી બનેલી મૈથિલી ઠાકુર અને તેનો ભાઇ ઋષભ ઠાકુરે એક મહત્વનો નિર્ણય લીધો છે. મૈથિલીએ એક વીડિયો બનાવીને કહ્યું છે કે તે હવેથી તે બોલિવૂડના ગીત નહી ગાય. બંને ભાઇ બહેને બોલિવૂડના ગીતોનો બહિષ્કાર કર્યો છે. તેણે કહ્યું કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓએ તેમના પર ઘણી ઉંડી અસર કરી છે.
આ નિર્ણય પાછળ કારણ શું છે તે મૈથિલીને પણ ખબર નથી, તેના પિતા સાથે આ વાતની ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે. સોશિયલ મિડીયા પર આજકાલ એક જ વાત ચર્ચાઇ રહી છે. ઘણી બાબતો આ ભાઇ બહેન સાથે પણ બની છે પરંતુ તે વાતોને દબાવી દેવામાં આવે છે. તેણે કહ્યું કે તે અલગ અલગ ભાષામાં ગીત ગાય છે અને તે જ ગાશે ફેન્સને સપોર્ટ કરવા માટેની અપીલ પણ મૈથિલીએ કરી છે.
બોલિવૂડના ગીત ન ગાવાનો નિર્ણય કરવો તે નિર્ણય લેવામાં ખૂબ હિંમત જોઇએ જે આ નાનકડા ભાઇ બહેને લઇ લીધો છે. હવેથી તેઓ બોલિવૂડના ગીત નહી ગાય.