સુશાંતની મોતથી ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભાંગી પડ્યો છે. ક્રિકેટર સાથે સુશાંતનું ખાસ કનેક્શન હતું. ધોનીની બાયોપિક 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંતે તેનો જ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર નીરજ પાંડેએ જણાવ્યું કે, સુશાંતની અચાનક મોતથી ધોની તૂટી ગયો છે.
સુશાંતની મોતથી ક્રિકેટરો પણ દુઃખી
પૂર્વ કેપ્ટન ધોની તેના જવાથી ભાંગી પડ્યો
ધોનીનો રોલ પ્લે કરીને ચમકી ગયો હતો સુશાંત
સુશાંતે 14 જૂને તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના નિધન પર ધોનીએ કોઈ નિવેદન આપ્યું નથી. 34 વર્ષના સુશાંતના કરિયરમાં 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મ બેસ્ટ ફિલ્મ હતી. સુશાંતની આ ફિલ્મમાં ઘણી પ્રસંશા થઈ હતી.
'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'ના ડિરેક્ટર નીરજ પાંડેએ કહ્યું- હું કંઈ કહેવાની સ્થિતિમાં ની. હું બપોરનો મીડિયા સાથે વાતચીત કરી રહ્યો છું. મેં મારા નજીકનો એક વ્યક્તિ ગુમાવી દીધો. તમારે જે પૂછવું હોય જલ્દી પૂછો. નીરજે કહ્યું- માહી ભાઈને ફોન કરવાની સાથે મેં સુશાંતના બે સારાં મિત્રો મિહિર દિવાકર અને અરૂણ પાંડેને પણ ફોન કર્યો. તે બધાં તેના નિધનથી આઘાતમાં છે. માહી તો જાણે આ સમાચાર સાંભળીને ભાંગી પડ્યો છે.
સુશાંત સિંહ રાજપૂતે ધોનીના રોલ માટે વિકેટકીપિંગ શીખવા માટે સખત મહેનત કરી હતી. તેને પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ ટ્રેનિંગ આપી હતી. તેણે મેદાન પર વિકેટકીપિંગશીખવા માટે મોરે સાથે 9 મહિના વિતાવ્યા હતા. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ રવિવારે બપોરે ધોનીને ફોન કરીને સુશાંતની આત્મહત્યા વિશે જાણકારી આપી હતી.