એક વખત ભગવાન શિવે આખી સૃષ્ટિને બચાવવા માટે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષના પ્રભાવથી તેમના ગળાનો કલર વાદળી થઈ ગયો અને તેમનું આખુ શરીર ખૂબ જ ગરમ થઈ ગયું. જેના કારણે આસપાસના વાતાવરણમાં પણ વસ્તુઓ બળવા લાગી.
ભક્તોની મનોકામના પુરી કરે છે ભોલેનાથ
કંઠમાં ભોલેનાથે ધારણ કર્યું હતું વિષ
જ્યાર બાદ મહાદેવ કહેવાય છે નિલકંઠ
ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પરંતુ જો ઘન સંબંધી કોઈ મુશ્કેલીઓ હોય તો તમે જ્યારે શિવજીની પૂજા કરો છો તો શિવલિંગ પર બિલિપત્ર જરૂર ચઢાવો. માન્યતા છે કે ભગવાન શિવને બિલિપત્ર ખૂબ જ પ્રિય છે અને શિવલિંગ પર બિલિપત્ર અને જળ ચડાવવાથી વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવાથી ધન ઉપરાંત વ્યક્તિની અન્ય સમસ્યાઓ દૂર થઈ જાય છે.
શિવલિંગ પર કેમ ચડાવવામાં આવે છે બિલિપત્ર?
જ્યારે સમુદ્ર મંથન વખતે વિષ નિકળ્યું હતું તો ભગવાન શિવે આખી સૃષ્ટિને બચાવવા માટે આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. વિષના પ્રભાવથી તેમનો કંઠનો રંગ વાદળી થઈ ગયો અને તેમનું આખુ શરીર અત્યંત ગરમ થવા લાગ્યું જેના કારણે આસપાસના વાતાવરણ પણ વસ્તુઓ બળવા લાગી.
ઝેરના પ્રભાવને ઓછુ કરે છે બિલિપત્ર
બિલિપત્ર વિષના પ્રભાવને ઓછુ કરે છે માટે બધા દેવી દેવતાઓએ શિવજીને બિલિપત્ર ખવડાવવાનું શરૂ કરી દીધુ. બિલિપત્રની સાથે સાથે શિવજીને શીતલ રાખવા માટે તેમના પર જળ પણ અર્પિત કર્યું. બિલિપત્ર અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન ગરમી શાંત થવા લાગી જેનાથી શિવજી પર જળ અને બિલિપત્ર ચડાવવાની પ્રથા ચાલું થઈ.
ભગવાન શિવની પૂજામાં બિલિપત્રનું મહત્વ
પોતાના ત્રિકોણીય આકારની સાથે બિલિપત્ર ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઉપરાંત ભગવાનના અસ્ત્ર ત્રિશૂળનું પ્રતિનિધિત્વ કરે છે. બિલિપત્ર ઠંડક આપે છે. એવી પણ માન્યતા છે કે શ્રાવણમાં બિલિપત્રથી પૂજા કરવાથી ભક્તોને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે.
બિલિ વૃક્ષના નીચે શિવલિંગની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવને બિલિપત્ર ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. બિલિ વૃક્ષની નીચે દિવો કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પરંતુ વૃક્ષની નીચે ગરીબોને ભોજન કરાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
બિલિપત્ર ચડાવવાનો નિયમ
ભગવાન શિવને હંમેશા ઊધા બિલિપત્ર જ ચડાવવા જોઈએ
બિલિપત્રને હંમેશા અનામિકા, અંગુઠા અને મધ્યમા આંગળીની મદદથી જ ચડાવો. મધ્યનું પાન પકડીને શિવજીને અર્પિત કરો.
શિવજીને ક્યારેય ફક્ત બિલિપત્ર અર્પણ ન કરો. બિલિપત્રની સાથે જળની ધારા જરૂર કરો.,
બિલિપત્રના ત્રણ પાન જ ભગવાન શિવને ચડાવો. ધ્યાન રાખો કે પાન તૂટેલા ન હોય.
અમુક તિથિઓ પર બિલિપત્ર તોડવામાં આવતા નથી. ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસએ, સંક્રાંતિ અના સમયે અને સોમવારે બિલિપત્ર તોડવામાં આવતા નથી. એવામાં પૂજાના એક દિવસ બાદ જ બિલિપત્ર તોડીને રાખી મુકવામાં આવે છે.
બિલિપત્ર ક્યારેય અશુદ્ધ નથી થતું. પહેલાથી ચડાવેલું બિલિપત્ર પણ ધોઈને ફરિથી ચડાવી શકાય છે.