મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓને અંતે ખાતાઓની ફાળવણી કરી દેવામાં આવી. કોંગ્રેસ કૃષિ, ગ્રામ વિકાસ અને સહકારિકતાની માગ પર અડી હતી, જેને શિવસેનાએ પોતાના ક્વૉટામાંથી ખેલ-કૂદ અને ખારજમીન વિભાગ આપી મનાવી લીધી.
ઉધ્ધવ ઠાકરે સરકારના મંત્રીઓએ ખાતાની ફાળવણી
પોતાની માગ પર અડેલી કોંગ્રેસને પોતાના ખાતા આપી મનાવ્યું
ઠાકરે સરકારના મંત્રીમંડળનો વિસ્તાર સોમવારે કરાયો હતો
મહારાષ્ટ્રમાં ખાતાની ફાળવણીમાં સૌથી ઉપર હાથ NCP નો રહ્યો છે. શિવેસનાએ NCPને ગૃહ મંત્રાલય આપવામાં આવી. સૌથી વધારે NCP ને સારા ખાતા મળ્યાં છે. જો કે ખાતાની ફાળવણીને લઇને હજુ ઘણા નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, પરંતુ કોઇપણ કાંઇ બોલવા તૈયાર નથી.
મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 30 ડિસેમ્બરના રોજ કરી દેવામાં આવ્યું હતું. જેમાં 36 મંત્રીઓએ શપથ લીધાહતા, પરંતુ ખાતાની ફાળવણીને લઇને ત્રણેય પક્ષો વચ્ચે કોઇ સમજૂતિના આસાર જોવા મળતાં નહોતાં.
કોંગ્રેસે ગ્રામ વિકાસ, કૃષિ અને સહકારિકતામાંથી અક વિભાગની એમ કહેતા માગ કરી કે સૌથી વધારે ધારાસભ્યો ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, જેને લઇને તેમને ગ્રામ વિકાસ સંબંધિત એક વધુ વિભાગ આપવામાં આવે.
જેને લઇ ગત ગુરૂવારે NCP ના અજિત પવાર અને કોંગ્રેસના અશોક ચવ્હાણ વચ્ચે તીખી નોકજોક થઇ હતી. NCP એ એક પણ મંત્રાલય કોંગ્રેસને આપ્યું નથી, પરંતુ કોંગ્રેસને મનાવવા માટે શિવસેનાએ પોતાના ખાતાઓમાંથી આપી કુર્બાની આપી. શિવસેનાએ પોતાના ક્વૉટામાંથી કોંગ્રેસને યુવા, ખેલ-કુદ અને સાંસ્કૃતિક કાર્ય અને જમીન વિકાસ વિભાગ આપ્યાં, ત્યારબાદ આ મામલો શાંત થયો હતો.