મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય બાજી પલટાઇ ગઇ છે. રાજ્યના નવા સીએમ ઉદ્ધવ ઠાકરે હશે. 28 નવેમ્બરે તેઓ સીએમ પદના શપથ લેશે જે પહેલાં 1 ડિસેમ્બર નક્કી થઈ હતી. શિવાજી પાર્કમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન થઇ શકે છે. નવા ગઠબંધનના ત્રણ પ્રતિનિધિ આજે રાજ્યપાલની મુલાકાત લેવા જઇ રહ્યા છે. આ પહેલા મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદેથી રાજીનામુ આપી દીધુ. તેઓ માત્ર ત્રણ દિવસ સીએમ રહી શક્યા.
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય બાજી પલટાઇ ગઇ છે, નવા સીએમ ઉદ્ધવ ઠાકરે હશે
ઉદ્ધવ ઠાકરે એક ડિસેમ્બરે મહારાષ્ટ્રના સીએમ પદના શપથ લેશે
મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદેથી રાજીનામુ આપ્યું છે
પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકર કાલે ધારાસભ્યોને શપથ અપાવશે. ત્યારે, રાજ્યપાલે બુધવારે સવારે 8 વાગ્યે જ વિધાનસભા સત્ર બોલાવ્યું છે.
અમિત શાહને આમંત્રણ આપીશું
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપશે. શું શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવશે? તેના જવાબમાં રાઉતે કહ્યું કે હાં, અમે તમામને આમંત્રણ આપીશું, અમે અમિત શાહને આમંત્રણ આપીશું.
Sanjay Raut, Shiv Sena, when asked if 'PM Modi will be invited for the swearing-in ceremony of Uddhav Thackeray as the Maharashtra CM: Yes we will invite everyone, we will even invite Amit Shah ji. #Maharashtrapic.twitter.com/oxF6kUTLZA
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મારા હિન્દુત્વમાં જુઠ્ઠાણું નથી. બીજેપીએ અમારી મિત્રતા તોડી છે. પરંતુ હું મોટાભાઇને મળવા દિલ્હી જઇશ. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે જે 30 વર્ષથી સાથે હતા, તેમણે વિશ્વાસ ન કર્યો. બાલાસાહેબ ઠાકરે કહેતા હતા કે જેને એકવાર વચન આપ્યું તો પાછળ ન હટવું. અમે આ મહારાષ્ટ્રને એક વાર ફરી મહારાષ્ટ્ર બનાવી દઇશું. જેવુ છત્રપતિ શિવાજી મહારાજે સપનુ જોયું હતું. તેઓએ કહ્યું કે ખેડુતોનો મુદ્દો મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે.
રાજ્યમાં બદલાવની જરૂર હતી : શરદ પવાર
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાજ્યમાં બદલાવની જરૂર હતી. ગઠબંધનના ત્રણેય પ્રતિનિધિ આજે રાજ્યપાલને મળશે. ઉદ્ધવ ઠાકરે એક ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ શિવાજી પાર્કમાં આયોજિત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેને ચૂંટવામાં આવ્યા
ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. તેમને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના નેતા ચૂંટવામાં આવ્યા છે. કોંગ્રેસ-શિવસેના-એનસીપી ગઠબંધનનું નામ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી હશે. બેઠકમાં ત્રણેય દળના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેના નામના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.